________________
૩૪૦.
રાજહૃદય ભાગ-૧૩ ઓહો...! આવી વાત છે ! આવી વાત કરી ! ... થઈ જાય છે. નિમિત્ત-નૈમિત્તિકપણે. અંતરના અનુસંધાને. કહેનાર જબરદસ્ત પુરુષાર્થી ધર્માત્મા છે....
દષ્ટાંત તરીકે લઈએ તો એ વાત મોજુદ છે કે “સોગાનીજીની હયાતીમાં એ પ્રગટપણે જાહેર ન થયા અને એમના પુસ્તક વાંચ્યા પછી એટલી જાહેરાત પૂજ્ય ગુરુદેવશ્રીએ કરી કે એક ભવ પછી એ નિર્વાણપદને પામશે. અમારે તો ચાર ભવ છે, પછી પોતે સાથેસાથે કહે છે કે અમારે તો હજી ચાર ભવ છે. ચોથા ભવમાં અમે જ્યારે દીક્ષા લઈને ણમો સિદ્ધાણં એવો ઉચ્ચાર કરશે ત્યારે અમારા નમસ્કાર એને પહોંચશે. એ બીજા અનંતા સિદ્ધો સાથે સિદ્ધાલયમાં હશે. અમારા નમસ્કાર એમને પહોંચશે.
મુમુક્ષુ – સોગાનીજી બોલ્યા હતા કે બાત બઢાકે કહના વહ હમારી પ્રકૃતિ નહીં હૈ.
પૂજ્ય ભાઈશ્રી:- નહીં હૈ. એ ફાવે જ નહિ ને. મુમુક્ષુ :- “ગુરુદેવ ને વાત કરો એમ કહ્યું ત્યારે જવાબ આપ્યો હતો. પૂજ્ય ભાઈશ્રી – હા. મારી સાથે વાત થઈ હતી. કોઈ બાત બનાકે જાના ઔર કહના યહ મેરે સે નહીં હો સકતા હૈ. મારાથી થઈ નથી શકતું. એ કરી જ ન શકે. એ રીતે આવડે નહિ ને ફાવે નહિ. પછી કોઈએ કીધું કે ભાઈ ! કોઈ આડીઅવળી વાત મૂકીદે એટલે આ વાત છે. તો કહ્યું, આપણે એવું કાંઈ અનુચિત તો કામ કરતા નથી. મને કહે છે, હમ કોઈ ઐસા અનુચિત તો કાર્ય નહિ કર રહે હૈ. ભલેને કોઈ ગમે તેમ વાત કરે. આપણે ક્યાં કાંઈ અનુચિત તો કરતા નથી. તો બસ! પછી ભય કિસ બાત કા ? ફિર ભય કિસ બાત કા ? પછી કઈ વાતનો ભય છે? સહેજ જે થાય તે થવા દો. સહજ જો હોવે સો હોને દો. કુછ કરના નહીં હૈ.
“તે આશય, વાણી પરથી વર્તમાન જ્ઞાનીપુરુષને સ્વાભાવિક દૃષ્ટિગત થાય છે. અને કહેનાર પુરુષની દશાનું તારતમ્ય લક્ષગત થાય છે. આ જીવનો પુરુષાર્થ કેટલો છે એ પણ લક્ષગત થાય છે, એ જ્ઞાનમાં આવે છે. “અત્રે જે વર્તમાન જ્ઞાની શબ્દ લખ્યો છે, તે કોઈ વિશેષ પ્રજ્ઞાવંત, પ્રગટ બોધબીજસહિત પુરુષ શબ્દના અર્થમાં લખ્યો છે. એ વર્તમાન જ્ઞાનીમાં કોઈ વિશેષ પ્રજ્ઞાવંત છે અથવા તો પ્રગટ બોધબીજ સહિત પુરુષ હોય તો પણ ઓળખી શકે. ” રહ્યું હોય, બોધબીજ પ્રગટી ગયું હોય એટલે સ્વરૂપ ભાસી ગયું હોય એ પણ પકડી લે. જ્ઞાની પણ પકડી લે. અને વિશેષ પ્રજ્ઞાવંત કોઈ બોધબીજ સહિતનો જીવ હોય તોપણ પકડી લે. એટલે