________________
પત્રાંક-૬૫૧
૫૩
એ બને વાકય લોકભાષામાં પ્રવર્તી છે, તે “આત્મભાષામાંથી આવ્યાં છે. જે ઉપર કહ્યા તે પ્રકારે ન માયા તે સમજ્યા નથી એમ એ વાક્યનો સારભૂત અર્થ થયો; અથવા જેટલે અંશે શમાયા તેટલે અંશે સમજ્યા, અને જે પ્રકારે શમાયા તે પ્રકારે સમજ્યા, એટલો વિભાગા થઈ શકવા યોગ્ય છે, તથાપિ મુખ્યાર્થમાં ઉપયોગ વતવવો ઘટે છે.
અનંતકાળથી યમ, નિયમ, શાસ્ત્રાવલોકનાદિ કાર્ય કર્યા છતાં સમજાવું અને શમાવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં, અને તેથી પરિભ્રમણનિવૃત્તિ ન થઈ.
સમજાવા અને શમાવાનું જે કોઈ ઐક્ય કરે, તે સ્વાનુભવપદમાં વર્તે તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. સદ્દગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યો નહીં, જાણવાનો પ્રતિબંધક અસત્સંગ, સ્વચ્છેદ અને અવિચાર તેનો રોધ કર્યો નહીં જેથી સમજાવું અને શમાવું તથા બેયનું ઐકય ન બન્યું એવો નિશ્ચય પ્રસિદ્ધ છે.
અત્રેથી આરંભી ઉપર ઉપરની ભૂમિકા ઉપાસે તો જીવ સમજીને શમાય, એ નિસંદેહ છે.
અનંત જ્ઞાનીપુરુષ અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મોક્ષમાર્ગ જીવને લક્ષમાં નથી આવતો, એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્રે શમાવીએ છીએ. સત્સંગ, સદ્વિચારથી શમાવા સુધીનાં સર્વ પદ અત્યંત સાચી છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે, અને નિઃસંદેહ છે.
ૐ ૐ ૐ ૐ
જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે.” સમજવું શુંએમાં એનો અર્થ આવી ગયો. એમાં સમજવાયોગ્ય શું ? “સમજ્યા તે શમાઈ રહ્યા....” અને સમજ્યા તે શમાઈ ગયા. રહ્યા અને ગયા એટલો જ ફેર છે. સમાઈ ગયા અને શમાઈ રહ્યા. રહ્યા અને ગયા એ સિવાય બે વાક્યોમાં એના એ જ શબ્દો છે. એમાંથી સમજવું શું છે ? કે જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે.' સમજવું એટલે અહીંયાં પોતાનું સ્વરૂપ સમજવાની વાત છે. સમજ્યા તે