________________
૨૬૨
રાજહૃદય ભાગ-૧૩ અહીંયાં લાગે છે. એવી અંતરાત્મવૃત્તિ થઈ જાય છે. આત્મામાં પરિણમવાની તૈયારી થાય છે.
ગતવાસી એટલે જગતષ્ટિ.” જીવો છે એટલે જીવની જે અનાદિની દૃષ્ટિ છે તેની દૃષ્ટિએ ખરેખરું જ્ઞાની કે વીતરાગનું ઓળખાણ ક્યાંથી થાય ? એ દૃષ્ટિએ ન તો જ્ઞાનીની ઓળખાણ થાય, ન તો કોઈ વીતરાગની ઓળખાણ થઈ શકે. વીતરાગ તો વીતરાગભાવે બેઠેલા છે. જ્ઞાનીને તો બહારમાં વીતરાગભાવ ન દેખાય, રાગભાવ દેખાય. વીતરાગ તો વીતરાગભાવે બેઠેલા છે તોપણ ઓળખાણ નથી થતી. કેમકે એ ભાવને ઓળખવા માટેની જે યોગ્યતા જોઈએ એ યોગ્યતા.
જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ભલેને ચોખા વીતરાગ સામે બેઠા હોય તોપણ પોતાને એ ભાવ સમજાતો નથી કે આમાં વીતરાગતા શું છે?
મુમુક્ષ:- દૃઢ મુમુક્ષતા હોય તો જ જિનેન્દ્ર પ્રતિમાને ઓળખી શકે?
પૂજ્ય ભાઈશ્રી – હા. તો જ જિનેન્દ્રને ઓળખી શકે. પ્રતિમાને નહિ, જિનેન્દ્રને ઓળખી શકે છે. એના ઉપરથી જિનેન્દ્રને ઓળખે છે કે આવા જિનેન્દ્ર હોય. પ્રતિમાજી ઉપરથી જિનેન્દ્ર આવા હોય એમ ઓળખી શકે છે. દઢ મુમુક્ષતા હોય તો. | મુમુક્ષુ - વિચાર એમ આવે છે કે “સોભાગભાઈને અને ડુંગરભાઈને ઊભા રાખવા માટે કહે છે.
પૂજ્ય ભાઈશ્રી - ઊભા રાખવાની, સોભાગભાઈને ઊભા રાખવાની એવી કોઈ જરૂર નથી. નવા નવા માણસને કોઈને ઊભા રાખે. પણ “સોભાગભાઈને તો એ જેટલું કહેવાય એટલું ચોખ્ખું ચોખ્ખું કહી દેતા હતા. એ બાબતમાં એમને પડદો, ઊભા રાખવા માટેનો કોઈ પડદો સોભાગભાઈ માટે રાખ્યો હોય એવું નથી દેખાતું. કોઈ નવા માણસ હોય એ જુદી વાત છે. “સોભાગભાઈને ચોખું કહેતા હતા. અને જેની એવી માન્યતા હોય એને એ બાજુથી ખસેડવાની વાત છે. એ બાજુ લઈ જવાની વાત નથી પણ ખરેખર તો ખસેડવાની વાત છે.
બે શબ્દો વાપર્યો છે. સતુશાસ્ત્ર શબ્દ વાપર્યો છે અને બીજી આત્મજાગૃતદશા-એવા બે શબ્દો વાપર્યા છે. અને આ શાસ્ત્રનો વધારે પરિચય કરવાની ભલામણ કરી છે કે તમે રોજ હમણા એનો સ્વાધ્યાય કરો. એમની યોગ્યતાને અને સુંદરદાસજીના વચનોને કાંઈક વિશેષ અસરકારકપણું થશે એમ જાણીને લખ્યું છે. એમના આત્મામાં ગુણ થવાને અર્થે લખ્યું છે.