________________
૩૧૦
રાજહૃદય ભાગ-૧૩ ફેર શું છે ? એ કહો. એકરૂપ શબ્દ સમજ્યા, શબ્દનો અર્થ સમજ્યા, ભાવાર્થ સમજ્યા પણ ભાવ ન ભાસ્યો તો કૂટસ્થ આવ્યું ત્યાં એમ થયું કે નહિ, એવો ન હોય. તો પછી એકરૂપ અને કૂટસ્થમાં ખરેખર તો ફેર જ નથી. કૂટસ્થ કહો કે એકરૂપ કહો બંને એક જ છે. પણ એકરૂપની હા પાડે અને કૂટસ્થની ના પાડે. એનો અર્થ શું ? કે એકરૂપને સમજ્યા નથી. એમ એનો અર્થ છે.
મુમુક્ષુ:- અજ્ઞાયકની વાત જરા...
પૂજ્ય ભાઈશ્રી - અજ્ઞાયક એટલે શું? અજ્ઞાયક અને અવેદક એટલે શું? કે ક એટલે કાર્ય. તો એને એ કાર્ય નથી. અપરિણામી છે અને પરિણામરૂપી કાર્ય નથી. પરિણામરૂપી કોઈ કાર્ય નથી. બંધ અને બંધના કારણરૂપ પરિણામ, મોક્ષ અને મોક્ષના કારણરૂપ પરિણામ. એ કોઈ પરિણામથી એ અભાવરૂપ છે, શૂન્યરૂપ છે. ત્રણ શબ્દ વાપર્યા છે.
“જયસેનાચાર્યદેવે ૩૨૦મી ગાથામાં આ વાત કરતા ત્રણ શબ્દ વાપર્યા છે કે આત્મા નિષ્ક્રિય છે. ક્રિયા વિનાનો છે, પરિણામ વિનાનો છે. “નિયિ રૂતિ વશે અર્થ:' નિષ્ક્રિયનો શું અર્થ કરો છો ? કે કોઈ જાતના પરિણામ નહિ, કોઈ જાતની ક્રિયા નહિ. બંધની પણ નહિ અને મોક્ષની પણ નહિ. તો જ્ઞાન તો એક પરિણામ છે. જ્ઞાન પણ એક પર્યાય છે, ઉપયોગ એક પર્યાય છે. એ જેને નથી. જે શક્તિસ્વરૂપ છે. આ ઉપયોગ તો વ્યક્તિ છે અને આ શક્તિ છે. જે શક્તિ-વ્યક્તિનો ભેદ ન તારવી શકે અને તકલીફ પડે એવું છે.
મુમુક્ષુ:- જ્ઞાયક અને અજ્ઞાયક વચ્ચે શું ભેદ છે ?
પૂજ્ય ભાઈશ્રી :- જ્ઞાયક પણ એ જ છે અને અજ્ઞાયક પણ એ જ છે. જ્ઞાયકસ્વરૂપે કહો તોપણ સ્વભાવ કહેવો છે અને અજ્ઞાયકસ્વરૂપે પણ કહો તોપણ એને સ્વભાવ કહેવો છે. જ્ઞાયક કહીને જેનામાં જ્ઞાનની શક્તિ રહેલી છે એમ કહેવું છે. અજ્ઞાયક કહીને જેને કોઈ પરિણામ નથી એમ કહેવું છે. જ્ઞાનનું પણ જેને પરિણામ નથી એમ કહેવું છે.
મુમુક્ષુ – પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી.
પૂજ્ય ભાઈશ્રી :- હા, પ્રમત પણ નથી અને અપ્રમત્ત નથી. એક શાકભાવ છે.
મુમુક્ષુ – એ અજ્ઞાયક છે ? પૂજ્ય ભાઈશ્રી :- હા, એ અજ્ઞાયક છે. જ્ઞાયક તે જ અજ્ઞાયક છે. પણ એ