________________
પત્રાંક-૬૮૭.
૪૧૯ ચાર દિવસ પહેલાં એક બીજો કાગળ મળ્યો છે. વિસ્તારથી પત્રાદિ લખવાનું કેટલોક વખત થયાં કોઈક વાર બની શકે છે. અને કોઈક વખત પત્રની પહોંચ લખવામાં પણ એમ બને છે.” એટલે પત્ર લખવાનું અનિયમિત છે.
પ્રથમ કેટલાક મુમુક્ષુઓ પ્રત્યે ઉપદેશપત્રો લખાયા છે તેની પ્રતો....' પ્રતો એટલે નકલો. “શ્રી અંબાલાલ પાસે છે. પહેલા કેટલાક મુમુક્ષુઓને પત્રો લખ્યા છે. એટલે એમણે કોઈ પુસ્તક નથી લખ્યું. જોયું ! પત્રો લખ્યા છે. બહુ શરૂઆતમાં મોક્ષમાળા' લખી એ જુદી વાત છે. પણ પછી જોકે એ વિષયમાં લખવાનો એટલો ઉપયોગ ચાલ્યો પણ નથી અને સમય પણ એમને ઉદયકાર્યો વચ્ચે નથી મળ્યો. પ્રથમ કેટલાક મુમુક્ષુઓ પ્રત્યે ઉપદેશપત્રો લખાયા છે તેની પ્રતો શ્રી અંબાલાલ પાસે છે. તે પત્રો વાંચવા વિચારવાના પરિચયથી ક્ષયોપશમની વિશેષ શુદ્ધિ થઈ શકવા યોગ્ય છે.” જ્ઞાનની નિર્મળતા-ક્ષયોપશમ જ્ઞાનની નિર્મળતા. શુદ્ધિનો અર્થ અહીંયાં નિર્મળતા લેવો. દર્શનમોહનો અનુભાગ ઘટે તો એ નિર્મળતા થાય. આગળ એક જગ્યાએ લખ્યું કે તમે ગંભીરતાથી સ્થિર ચિત્તે વાંચજો. આ પત્રોને તમે સ્થિર ચિત્તે ગંભીરતાપૂર્વક વાંચજો. અને અહીંયાં એમ કહે છે કે આ પત્રો વાંચવા વિચારવાના પરિચયથી તમારા જ્ઞાનની નિર્મળતા વિશેષ થઈ શકવા યોગ્ય છે. એટલી એને એક સાથે સાથે સૂચના કરી દીધી છે.
શ્રી અંબાલાલ પ્રત્યે તે પત્રો વાંચવા મળવા માટે વિજ્ઞાપના કરશો.” અને અંબાલાલભાઈને તે માટે તમે લખશો ‘એ જ વિનંતી.” છે. એમ કરીને સુખલાલભાઈને પણ આ પત્રો વાંચવા માટેની પોતે સૂચના આપી છે.
પત્રાંક-૬૮૭
મુંબઈ, વૈશાખ સુદ ૧, ભોમ, ૧૯૫૨ ઘણા દિવસ થયાં હાલ પત્ર નથી, તે લખશો.
અત્રેથી જેમ પ્રથમ વિસ્તારપૂર્વક પત્ર લખવાનું થતું તેમાં કેટલાક વખત થયાં ઘણું કરીને તથા રૂપ પ્રારબ્ધને લીધે થતું નથી.
કરવા પ્રત્યે વૃત્તિ નથી, અથવા એક ક્ષણ પણ જેને કરવું ભાસતું નથી, કરવાથી ઉત્પન્ન થતાં ફળ પ્રત્યે જેની ઉદાસીનતા છે, તેવા કોઈ આપ્તપુરુષ તથારૂપ પ્રારબ્ધયોગથી પરિગ્રહ સંયોગાદિમાં વર્તતા દેખાતા હોય, અને જેમ