________________
પત્રાંક-૬ ૭૯
૩૩૭ સમજે છે. પોતે પણ જે ઉદ્દેશથી પોતાનું કાર્ય સાધે છે એવો ઉદ્દેશ એ સામાની વાણીમાં તરત જ જોઈ શકે છે, તરત સમજી શકે છે કે બરાબર છે. આવી વાત જ્ઞાની સિવાય કરી શકે નહિ, અનુભવી સિવાય કરી શકે નહિ. સાધના કે આરાધના કે ઉપાસના કરતો હોય તે જ આવી આરાધનાની વાત સમજી શકે અને સમજાવી શકે કે કહી શકે. માત્ર વિદ્વાનનો કે પંડિતનો આ વિષય નથી. એ વાત જ્ઞાની સમજી શકે છે.
મુમુક્ષુ :- મુમુક્ષુ કોઈ હોય એને આ વાત બેસી, ધારણામાં વાત બેસી, સ્વરૂપની પ્રાપ્તિ તો થઈ નથી. આત્મહિતની ભાવના છે. સંયોગ થવાથી પ્રવચનો પણ કરે એને કેવી રીતે પકડે ? અંદર ભાવના તો એને આત્મહિતની છે.
પૂજ્ય ભાઈશ્રી :- એની યોગ્યતાનો ખ્યાલ આવી જાય. કેમકે અનુભવ સહિતપણું અને અનુભવરહિતપણામાં અંતર બહુ મોટું છે. અંધારાઅજવાળા જેટલું. અનુભવસહિતમાં જેવું આત્મસ્વરૂપ છે એવું પ્રગટપણે અનુભવગોચર થયું છે, વેદનગોચર થયું છે. અને જેને અનુભવ નથી થયો એને ખરેખર આત્મસ્વરૂપ કેવું છે, એ વિષયમાં એ અંધારામાં છે. એટલે અંધારાઅજવાળાનો જે ફેર છે એ તો કાંઈ અછાનો રહે નહિ. ભાવના હોય, અધ્યાત્મની સ્ત્રી હોય તો એના વાંચનમાં-પ્રવચનમાં એ વિષય પોતાની રુચિથી ચાલતો હોય, પોતાની ભાવનાથી ચાલતો હોય તો બીજા કરતા સારો આવે પણ છતાં અનુભવ જેને નથી એ જે આંતરો છે એ આંતરો તો ઊભો રહે છે. કેમકે વસ્તુ જોઈ છે અને વસ્તુ નથી જોઈ, વસ્તુ ચાખી છે અને વસ્તુ કદી ચાખી જ નથી. આ તો આસ્વાદનો વિષય છે. એ અંતર છે એ હંમેશા ઊભું રહી જાય છે.
મુમુક્ષુઃ- વેદનનું જે જોર છે...
પૂજ્ય ભાઈશ્રી – હા. એ આવે નહિ. એને એ રસ ન આવે. રુચિ અને ભાવનાનો રસ અને અનુભવરસ, એમાં અંતર શું છે ? રુચિ અને ભાવનામાં એ વિષય શાસ્ત્રમાંથી સમક્ષ આવે છે ત્યારે કુદરતી પોતાની યોગ્યતાને કારણે એ વાત રુચે છે, ગમે છે અને એ પ્રકારે એ વાત આવે છે. જ્યારે અનુભવી જીવને તો ‘ગુણ અનંત કે રસ સબે અનંત ગુણનો રસ લઈને એ પરિણામ આવે છે. આખું જે પરમતત્ત્વ છે, સર્વોત્કૃષ્ટ તત્ત્વ છે એ જ્ઞાનની અંદર પ્રગટ સમક્ષ છે, જ્ઞાનની સમક્ષ એ પ્રગટ છે. અને એનું પરિણમન અંદરમાં એક ધારા ચાલે છે. પાછી એની ધારા ચાલે છે. તદ્દનુસાર સાદશભાવે (ધારા ચાલે છે). એટલે એનો જે પ્રકાર છે