________________
પત્રાંક-૬ ૭૯
૩૫૩
તા. ૨૩-૪-૧૯૯૧, પત્રાંક – ૬૭૯
પ્રવચન ન. ૩૦૭.
૬ ૦૯. પાનું-૪૯૭. ત્રણ પ્રશ્નના ઉત્તર થયા છે. ચોથા પ્રશ્નનો ઉત્તર. “જ. કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ “સમય” છે,....” છેલ્લો. જેના બે વિભાગ ન થઈ શકે એવો છેલ્લી હદે વિભાગ કરીએ તો એને સમય અથવા એક સમય કહેવામાં આવે છે. લૌકિકમાં અત્યારે એક સેકન્ડનો છેલ્લો ભાગ ગણવામાં આવે છે. પછી અડધી સેકન્ડ, પા સેકન્ડ. પણ સમયમાં અડધો સમય અને પા સમય નથી થતો. એક સમય એટલે કાળનું ઓછામાં ઓછું પરિમાણ છે-માપ છે.
રૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ “પરમાણુ' છે....” “કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ “સમય” છે,” અને “રૂપી” એટલે જડ, પુદ્ગલ. જડ પણ પુદ્ગલ. એ પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પરમાણુ' છે..” પછી અડધો પરમાણુ એવી રીતે એનો વિભાગ નથી થતો. “અને અરૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પ્રદેશ છે. એ બંને એના ક્ષેત્રનો વિષય લીધો છે. પરમાણુ આખું દ્રવ્ય છે અને અરૂપી પદાર્થમાં જીવ-ચેતન છે. અચેતનમાં આકાશ, કાળાણ, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય. એનો ક્ષેત્ર અપેક્ષાએ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ છે અને એક પ્રદેશ કહેવામાં આવે છે અને એનું માપ એક પરમાણુ જેટલું છે.
એ ત્રણે એવા સૂક્ષ્મ છે કે અત્યંત નિર્મળ જ્ઞાનની સ્થિતિ તેના સ્વરૂપને ગ્રહણ કરી શકે છે. શું લીધું ? જુઓ ! “એ ત્રણે એવા સૂક્ષ્મ છે કે અત્યંત નિર્મળ જ્ઞાનની સ્થિતિ તેના સ્વરૂપને ગ્રહણ કરી શકે...' વિષયને ક્યાં લઈ ગયા? જ્ઞાનની નિર્મળતાને અને આ વિષયને અનુસંધાન છે, એમ કહેવું છે. નહિતર આ તો જાણવાનો વિષય છે. પુગલ પરમાણુ કોને કહેવાય ? એક સમય કોને કહેવાય? એક પ્રદેશ કોને કહેવાય ? અને એ શાસ્ત્રની વ્યાખ્યા અનુસાર કોઈ વ્યાખ્યા પણ કરે, તોપણ ખરેખર અતિ નિર્મળજ્ઞાન છે એ જ આવી સૂક્ષ્મતાને ગ્રહણ કરી શકે. એમ કરીને એ વાતને જ્ઞાનની નિર્મળતા સાથે જોડી.
એમની વાત કરવાની પદ્ધતિ શું છે ? કે જિનાગમમાં આવી વાત કરી છે એ