________________
४०
રાજહૃદય ભાગ-૧૩
કર્તવ્યની ભાવનામાં આવીને, એનો વારંવાર ઉપયોગ કરીને એની પરિણતિ કરવી જોઈએ, પિરણિત થવી જોઈએ.
તેમાં અવશ્ય પરિણતિ કરવી ઘટે.’ કેમકે પરિણતિ વગર જે કાંઈ ઉપયોગ થાય છે એ ઉપયોગ એટલો નિર્બળ હોય છે, નિરસ હોય છે કે એનું કાંઈ ફળ આવતું નથી. શાસ્ત્રમાં એવા દૃષ્ટાંત આવે છે. એક માણસને બદામનું તેલ જોઈતું હતું. કોઈ ઔષધિ માટે બદામનું તેલ, બદામમાંથી તેલ કાઢે. કેવી રીતે બદામનું તેલ કાઢવું ? બદામને પત્થર સાથે ઘસવી. પછી આજે એક વખત ઘસરકો માટે, પાછો ચોવીસ કલાકે ફરીને આવીને બીજો ઘસરકો મારે ત્યારે આગલું જે કાંઈ પત્થર ઉપર ચિકાશ થઈ હોય એ ઊડી ગઈ હોય, સુકાય ગઈ હોય. એટલે આખી બદામ ઘસાય જાય તોપણ એમાંથી એને કાંઈ તેલ મળે નહિ.
એમ ચોવીસ કલાકે થોડો સ્વધ્યાય ઉપ૨ ઉપરથી પિરણિત વગ૨ કરે, વળી પાછો ચોવીસ કલાકે ફરીને સ્વાધ્યાય કરે, પરિણતિ તો હોય નહિ. ૨૩ કલાકમાં અસત્સંગને કા૨ણે અને જગતના વિષયોમાં પરિણામ જવાને કારણે, સંયોગો આશ્રિત પરિણામ થવાને કા૨ણે અંદરનું વાતાવ૨ણ સાવ બદલાય ગયું હોય. પાછા ચોવીસ કલાકે ફરીને થોડો સ્વાધ્યાય કરે. આ રીતે એનો ઉપયોગ છે એ સફળ થતો નથી. એના કોઈ કાર્યનું ફળ આવતું નથી. એટલે અવશ્ય પરિણતિ કરવી ઘટે. એ સંબંધમાં લખે છે.
ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે ?” જે આત્મજ્ઞાન પ્રગટ કરવું છે, આત્માની દશા પ્રગટ કરવી છે એ ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ આવા જે પરિણામ છે એ તો સહજસ્વભાવરૂપ થઈ જવા જોઈએ. પરિણિત કહો કે સહજસ્વભાવરૂપ કહો. જેમકે અત્યારે પરિણતિ છે. મનુષ્ય છું એવી પરિણતિ છે. ફ્લાણો-ફ્લાણો હું માણસ છું. દેહાત્મબુદ્ધિની અને કર્મનિત જે અવસ્થા પોતાને અત્યારે વર્તે છે એની પરિણતિ થઈ ગઈ છે. એની એવી ભાવના ભાવી છે કે એની પરિણિત થઈ ગઈ છે. તો એ સહજસ્વભાવ થઈ ગયો છે. હું માણસ છું એમાં શું વિચારવાનું હોય ? એમાં શું કરવાનું હોય ? એ તો સહજસ્વભાવ થઈ ગયો.
?
મુમુક્ષુની ભૂમિકામાં ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ એ તો મુમુક્ષ જીવે સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે ?” આત્મદશા કચાંથી આવવાની ? આવી પરિણતિ જો નહિ થાય તો આત્મદશા ક્યાંથી આવવાની હતી ?