________________
૩૫૦
રાજહૃદય ભાગ-૧૩ એનો અર્થ કરો છો ? જુઓ ! એમાં ક્ષુધાપરિષહ લીધો છે, તૃષાપરિષહ લીધો છે, લાણી પરિષહ લીધો છે. આ પરિષહ લીધો છે. એમ અગિયાર પરિષદના નામ છે. ભગવાનને પરિષહ થયો ને આહાર લીધો હોય. કીધું, અમે એવો અર્થ નથી કરતા.
અમે એવો અર્થ કરીએ છીએ કે પ્રકૃતિના પરમાણુનો જે અંદર સત્તામાં બંધ રહી ગયો છે એનો ઉદય આવે છે. પણ ભગવાન વીતરાગ હોવાથી અને નિર્મોહી દશા હોવાથી એના ઉપર વિજય મેળવે છે. એટલે કે એકાદશ ઉપસર્ગનો અથવા એકાદશ પરિષહનો એમને પરિષહ જય વર્તે છે એમ અમે પરિષહજયનો અર્થ કરીએ છીએ. અને તમે અર્થ કરો છો પરિષહહારનો. હવે કયો અર્થ યોગ્ય છે એ તમે વિચારો.
મુમુક્ષુ:- પરિષહ પરાજય થયો.
પૂજ્ય ભાઈશ્રી – ભગવાનને માટે પરિષહ પરાજય બરાબર છે કે પરિષહ જય બરાબર છે? પછી (શ્વેતાંબરના સાધુ) થોડા વિચારતા થયા કે આ વાત કાંઈક સમજીને કરે છે. આપણે એમનેમ સમજ્યા વગર દલીલ આપી દઈએ છીએ અને એ વાત કાંઈક સમજીને કરે છે.
મુમુક્ષ:- હા, ‘સિહોરમાં રહેતા.
પૂજ્ય ભાઈશ્રી – હા. એ પહેલા અહીં ભાવનગરમાં “રાધનપુરી'ના વંડાનો ફાળો કરતા હતા ને? એ અરસામાં અમારે પછી ચર્ચાનો પ્રસંગ બન્યો હતો.
મુમુક્ષુ :- તમે કાંઈક શાસ્ત્રો આપેલા. પૂજ્ય ભાઈશ્રી – હા. શાસ્ત્રો આપેલા.
મુમુક્ષુ – એ તો બધી દૃષ્ટિ પરની થઈને ? દવા લેવું કરવું એ દૃષ્ટિની પરની થઈ ગઈ ને ? મૂળમાં જ ભેદ પડી ગયો ને.
પૂજ્ય ભાઈશ્રી - એ તો સામાન્ય દેહાધ્યાસી જીવ હોય ને સંસારમાં ? એના જેવા કેવળી ભગવાનને બનાવી દીધા. પછી એમાંથી આ લોકો, વૈષ્ણવ લોકોએ પછી છપ્પન ભોગ ધરાવવાના શરૂ કર્યા. એક આહાર શરૂ થયો એમાંથી પછી એક પગથિયું ઉતર્યા એ લોકો, બધા નીકળ્યા છે એકમાંથી જ, સમવસરણમાંથી જ બધા શરૂ થયા છે. એણે છપ્પન ભોગ શરૂ કર્યા. અને એના ઉપર પછી ભગવાન જમે એટલે પાનનું બીડું (આપ). ભગવાનને પાન પણ ખવડાવે.
પાંડુરંગ શાસ્ત્રીજી આવે છે ને ? જુઓ તો ખરા કે ઈશ્વરનું માનુષીકરણ કર્યું