________________
પત્રાંક-૬૪૯
૮૯ ઉપયોગી કે બિનઉપયોગી વગર મફતનું એટલું ઢોળી નાખે, એટલો વ્યય કરે. પણ પ્રાણ જાય એવી તરસ લાગી હોય અને પાણી મળતું ન હોય, એક ટીપું પાણી ન મળતું હોય તો એ પાણીની કિમત કેટલી ? માણસની જિંદગી જેટલી પાણીની કિમત થાય. કેટલી થાય ? માણસના જીવન જેટલી, જિંદગી જેટલી કિમત થાય, અમૃત જેટલી કિમત થાય. મરતો બચે તો પાણીને ત્યાં અમૃત કહેવાય. પણ આમ રોજ એટલું પાણી ઢોળી નાખે.
એમ આયુષ્ય પૂરું થાય તો એક પળ પણ ન મળે. પણ અહીંયાં કારણ વગર કલાકોના કલાકો બગાડે. અમથો-અમથો. કાં તો પારકી પંચાતમાં કાં તો જગતની પંચાતમાં આખા જગતનું ડહાપણ ડહોળ. આણે આવું નહોતું કરવું જોઈતું, આણે આવું નહોતું કરવું જોઈતું. “અમેરિકાએ આમ કરવું જોઈતું હતું, ફલાણાએ આમ કરવું જોઈતું હતું. આને આમ.. એના કરતાં પણ એને પોતાને વધારે બુદ્ધિ હોય એવી રીતે સમય વેડફે છે.
મુમુક્ષુ - આયુષ્ય..
પૂજ્ય ભાઈશ્રી - હા. એક એક સમય. કાળનો ઓછામાં ઓછો પરિમાણનો Unit જેને કહેવાય-એકમ એક સમય છે. એક એક સમય કરીને અનંત સમય પર્યત કાળનો પ્રવાહ ચાલે છે. એમાં એક સમય પણ આયુષ્ય વધારી ન શકાય. જે સમયે પૂરું થયું ત્યાંથી એક સમય ન વધારી શકાય. ગમે તેટલી કિંમત આપો એની.
મુમુક્ષુ :- શ્વાસોશ્વાસ...
પૂજ્ય ભાઈશ્રી :- કાંઈ લેવાદેવા નથી. આ તો અન્ય મતમાં એવી માન્યતા છે કે જે માણસ બહુ બોલે એનું આયુષ્ય ઘટી જાય. માટે માણસે મૌન પાળવું. એ લોકો મૌનવ્રત લે છે ને ? એ એટલા માટે. એટલું આયુષ્ય વધે એમ કહે છે. વર્ષો સુધી, મહિનાઓ સુધી, દિવસો સુધી, વર્ષો સુધી મૌન પાળે. એટલું આયુષ્ય, આપણું જીવન લંબાઈ જાય. ખોટી વાત છે. એક સમય ન વધે.
બીજું, શ્વાસોશ્વાસમાં એમ કહે છે કે, ભાઈ ! એક માણસને જેટલા શ્વાસોશ્વાસ લેવાના નક્કી થયા હોય એટલા શ્વાસોશ્વાસ લે. તો પછી આપણે શ્વાસને રોકી લઈએ. માનો કે એક Minute માં અઢાર વખત શ્વાસોશ્વાસ થતા હોય તો આપણે પવનને રોકી એને સોળ વખત કરીએ, પંદર વખત કરીએ, ચૌદ વખત કરીએ, Practice વધારીને આઠ વખત કરી નાખીએ તો પછી એટલા આઠ