________________
પત્રાંક-૬૬૦
૧૪૭
ત્યાગની પાછળ પરમાર્થ શું છે એ વાત સંપ્રદાયોમાં ભૂલાઈ ગઈ છે. આ હવે પછીના થોડા પત્રો છે એમાં એ વિષય ઉ૫૨ જરા એમણે આ વિષય ઉપર વધારે પ્રકાશ પાડ્યો છે. એ ૬ ૫૯ (૫ત્ર પૂરો) થયો.
પત્રાંક-૬૬૦
મુંબઈ, પોષ સુદ ૬, રતિ, ૧૯૫૨
શ્રદ્ધા શાન લહ્યાં છે તોપણ, જો નવિ જાય પમાયો પ્રમાદ) રે, વંધ્ય તરુ ઉપમ તે પામે, સંયમ ઠાણ જો નાયો રે;
- ગાયો રે, ગાયો, ભલે વી૨ જગતગુરુ ગાયો.’
૬૬૦માં ખાલી એક પદ ‘સોભાગભાઈ’ને લખ્યું છે. ૬૫૫માં એક પદ ‘અંબાલાલભાઈ’ને લખ્યું હતું. અહીંયાં ‘સોભાગભાઈ’ને લખ્યું છે.
શ્રદ્ધા જ્ઞાન લહ્યાં છે તોપણ, જો નવિ જાય પમાયો પ્રમાદ) રે, વંધ્ય તરુ ઉપમ તે પામે, સંયમ ઠાણ જો નાયો રે;
- ગાયો રે, ગાયો, ભલે વીર જગતગુરુ ગાયો.’ શ્રદ્ધા ને જ્ઞાન છે તોપણ પણ જો જીવને પ્રમાદ જતો નથી. એમ કહે છે. કેમકે શ્રદ્ધા-જ્ઞાન પછી ચારિત્રમાં આગળ વધવું જોઈએ. એટલે શ્રદ્ધા અને જ્ઞાન છે પણ જીવ પ્રમાદ ન છોડે તો વંધ્ય તરું. શ્રદ્ધા-જ્ઞાનનું ઝાડ તો ઊગ્યું પણ એને ફળ ન આવ્યું. વંધ્ય તરુ એટલે એને ફળ વગરનું ઝાડ. આ વંધ્ય કહે છે ને ? પુત્ર ન થાય એને વંધ્ય કહે છે ને ? એમ આને ફળ ન આવ્યું. ‘વંધ્ય તરુ ઉપમ...’ ઉપમ એટલે ઉપમા તે પામે. સંયમ ઠાણ જો નાયો રે;’ એ સંયમના ઠાણે આવી શકતો નથી, હજી નથી આવ્યો. એવી રીતે ભગવાન મહાવીરસ્વામી’નું જે શાસન છે એની અંદર આ વાત ગાવામાં આવી છે. એટલે કોઈ સાધુપુરુષને પણ સંયમ અથવા પ્રમાદ છોડવાનો ઉપદેશ (આપ્યો છે), શ્રદ્ધા-જ્ઞાન થયા છે એને પણ પ્રમાદ ત્યાગવાનો ઉપદેશ આપેલો છે. એવો એનો ટૂંકો અર્થ છે.