________________
પત્રાંક-૬૭૯
૩૪૧ સંસ્કારી જીવ હોય તોપણ પકડી લે એમ કહેવું છે. એમ કેમ લીધું? બહુ વિચારવા જેવો વિષય છે.
સંસ્કારી જીવ હજી તો મિથ્યાષ્ટિ છે તોપણ એ જ્ઞાનીના નિમિત્ત વગર પામી જાય છે એ ક્યાંથી પામે છે ? કે કોઈ બીજા જ્ઞાનીના શાસ્ત્રના વચન ઉપરથી પામી જાય છે. શાની સામે ઉપસ્થિત નથી, એના વચન જ ઉપસ્થિત છે. એના ઉપરથી પામી જાય છે એટલે એમ દેખાય છે કે એવા બોધબીજ સહિતના જે કોઈ પુરુષ હોય તો એ પણ ત્યાં સુધી, ત્યાંથી માંડીને બીજા જ્ઞાની, ઉપરના જ્ઞાની એ બધા પણ ભૂતકાળના જ્ઞાનીને સારી રીતે ઓળખી શકે છે.
મુમુક્ષુ બોધબીજસહિત એટલે પૂર્વે એનું બીજ રોપાય ગયું હોય?
પૂજ્ય ભાઈશ્રી :- હા. બીજ રોપાય ગયું છે. સંસ્કાર પડી ગયા છે. એમ. એવા જીવ ઓળખી લ્ય છે.
મુમુક્ષ – ગુરુદેવશ્રીએ “સમયસાર’ વાંચ્યું ને.
પૂજ્ય ભાઈશ્રી – હા. કેમ અનુભવ સુધી પહોંચી ગયા ? કેમકે એ જ્ઞાનીની વાણી છે એવી તો પ્રતીતિ આવી જ હોય. પ્રતીતિ વગર તો એટલી શ્રદ્ધા અને એટલી ભક્તિ આવે નહિ. અથવા ‘સમયસાર' વાંચતા એમનો ખાસ ભાવ પોતે જે પ્રસિદ્ધ કર્યો છે કે આ અશરીરી થવાનું શાસ્ત્ર છે. આત્મા જે અશરીરી છે એમ થઈ જાય. આત્મા એવો અશરીર થઈ જાય અને રહી જાય એવું આ શાસ્ત્ર છે. દેહાધ્યાસ છૂટી જાય એવું શાસ્ત્ર છે. એ ભાવ ક્યાંથી ભાસ્યો ? સંસ્કારને લઈને ભાસ્યો છે. “સમયસાર તો બે હજાર વર્ષથી દિગંબર સંપ્રદાયમાં પડ્યું છે. જે કોઈ જ્ઞાની થયા. સંસ્કારી પુરુષો જ્ઞાની થયા એ એમાંથી થયા. એવા અનેક થયા. એટલે એ બોધબીજની વાત લીધી છે. ત્યાં સુધી આ શક્યતા છે. ભૂતકાળના જ્ઞાનીને ઓળખવાની શક્યતા બોધબીજ સહિતના પુરુષને છે. એમ લીધું છે. કેમકે એ ત્યાંથી પામી જાય છે.
જ્ઞાનીનાં વચનોની પરીક્ષા સર્વ જીવને સુલભ હોત તો નિવણ પણ સુલભ જ હોત.” જુઓ ! કેવી વાત કરી છે ! જો બધા જીવ જ્ઞાનીની વાણીને ઓળખી શકતા હોય તો મોક્ષ તો બહુ સુલભ હોત. તો તો બધા પામવા માંડત. કો'ક જીવ પામે છે એ બતાવે છે કે એ એટલું સુલભ નથી અથવા યોગ્યતા માગે છે. એ વાતને સમજવાની કોઈ ચોક્કસ પ્રકારની, ખાસ પ્રકારની યોગ્યતા માગે છે. એ બીજા પ્રશ્નનો ઉત્તર પૂરો થયો. બીજો પ્રશ્ન જ્ઞાનીની વાણી અને અજ્ઞાનીની વાણીના