________________
મલાદરીનું ચરિત્ર
આશાએ સજીવન થઈ. સર્વ દુઃખને ભૂલી ગઈ હો તેમ મારા મનમાં શાંતિ અને હિંમત આવી. આવા નિર્જન પ્રદેશમાં અને આપત્તિના સમયમાં આ મહાન પ્રભુનું દર્શન થવું એજ મારા ભવિષ્યના શુભ સૂચકની નિશાની હતી. હું તે કૃપાળુ દેવની એકાગ્ર ચિત્તે સ્તુતિ કરવા લાગી.
“હે અનાથના નાથ! પરદુઃખ ભંજન ! કપાસમુદ્ર! વીતરાગ દેવ! હું તારે શરણે આવી છું. મહાન આપત્તિઓમાંથી ઉદ્ધાર કરનાર તું જ “શરણાગત વત્સલ બીરૂદ ધારણ કરનાર છે. જન્મ મરણનાં દુઃખોથી મુક્ત કરનાર પણ તું જ છે. તું જ પણે જ્ઞાની છે. તારા હિતોપદેશથી અનાદિ કર્મબંધનથી મુક્ત થાય છે. અંધકારમાં દીપકની પ્રાપ્તિ, મરૂભૂમિમાં સરોવરની પ્રાપ્તિ, વૃક્ષવિનાના પહાડ ઉપર કલપક્ષેની ઘટા અને સમુદ્રમાં વહાણને મેળાપ થે જેટલો આનંદદાયક છે; તેથી વિશેષ પ્રકારે હે પ્રભુ! તારૂં દર્શન સુખરૂપ છે. આવી આપત્તિમાં તારું દર્શન મહાનું પુણ્યદયથીજ પ્રાપ્ત થયું છે, તે હે પ્રભુ! તું મારાં બાવ્યંતર દુઃખને ઉચ્છેદ કરી, અખંડ સુખ આપ, ”
પ્રકરણ ૧૪ મું.
મલયા દેવી, “ હે સુંદરી તારે માથે આવું દુઃખનું વાદળ આવેલું છતાં જીનેશ્વર ભગવાન ઉપર તારી સાચી દઢ