________________
૦૪૦
થયદરી શરિત્ર જઈ શકે છે. ઝરૂખ અને ઝરૂખામાં ઉભું રહી જેનાર મનુષ્ય બંને જુદાં છે, તેમ શરીર અને શરીરમાં રહી બાહ્ય પદાર્થોને જેનાર બંને જુદાં છે.
ઘર કે મહેલ પડી જતાં કે ભાડાનું હોય તે તેની મુદત પુરી થતાં રહેનાર ઘર કે મહેલ ખાલી કરી બીજે રહેવા જાય છે, તેમ આ શરીર પડી જતા અથવા તેમાં રહેવાની મુદત-આયુષ્ય પૂર્ણ થતાં દેહ મંદિરમાં રહેનાર તેને ખાલી કરી અન્ય મંદિરમાં રહેવા જાય છે. એટલે ઘર ખલિી કરનાર જેમ ઘરથી જુદે છે તેમ આ દેહ ખાલી કરનાર દેહી પણ દેહથી જુદો છે.
અનાદિ કાળના અભ્યાસથી દેહમાં આત્મભાવ મનાય છે કે દેહ તેજ હું છું. દેહને સુખે સુખી, દુખે દાખી, રાત્રિદિવસ તેની સેવા કરવામાં અને તેનું પાલન પિષણ કરવામાં વ્યતીત કરાય છે. આવા પ્રબળ દેહાધ્યાસથી આત્મા દેહ સમાન ભાસે છે પણ ખરું જોતાં તેમ નથી આત્માનાં ક્ષણે જુદાં છે. આત્મા તન્ય સ્વરૂપ છે, અરૂપી છે, જ્ઞાનમય છે, જ્ઞાતા છે, દ્રષ્ટા છે, ત્યારે આ દશ્ય દેહાદિ જડ સ્વરૂપ છે, રૂપી છે, અજ્ઞાન સ્વરૂપ છે.દ્રષ્ટાથી દશ્ય છે,જ્ઞાતાથી સ્વરૂપ છે. આ લક્ષણોથી વિચાર કરતાં આ દળ્યાદિથી ભિન્ન જે છે, તે પિતે હું છું, કે આત્મા છે. એવા ઉપનામથી બોલાવતો આત્મા છે.
તલવારથી જેમ મ્યાન જુદું છે, તેમ તે દેહથી જુદો છે, કેટલાએક શંકા કરે છે કે તે નેત્રોથી કેમ