________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાખ્યા હીનું = gફાતિ” એ વાતનું પાલન કરવાને માટે પણ આની જરૂર છે. આ પ્રમાણે પરરક્ષા પણ થાય છે, અને શરીરાદિની પણ રક્ષા થાય છે. કેમકે ઝેરી જંતુ વીંછી, સર્પ આદિ જીથી પણ પિતાનો બચાવ કરી શકે છે. આ માત્ર ઉપરથી જોવા જેવું નથી, પરંતુ એના લાભાલાવાની પરીક્ષા સૂક્ષમ દષ્ટિપૂર્વક કરવાની જરૂર છે. પ કર્યો સમિતિ:
ગમનાગમન કરવાની જરૂર પડે ત્યારે સાધુ ધૂસરા–પ્રમાણ આગળ દષ્ટિ કરતો ચાલે, પરંતુ આડીઅવળી નજર ન કરે.
પ્રકાશયુક્ત જગ્યામાં સાધુ ગૃહસ્થને ત્યાંથી આહારાદિ ગ્રહણ કરે. ઘણું કરીને ગૃહસ્થને ત્યાં આહારાદિ દેવામાં સ્ત્રીઓને મુખ્ય ભાગ હોય છે. ત્યાં મનેવિકારને પ્રગટ કરવામાં અંધકાર પણ એક કારણભૂત થાય છે. અંધકારમાં શુદ્ધાશુદ્ધ આહારની પરીક્ષા થઈ શકતી નથી, માટે સાધુ અંધકારવાળી જગ્યામાં ગ્રહણ ન કરે. આ પ્રમાણે પ્રથમ મહાવ્રતનું રક્ષણ કરવા માટે સાધુ દરરોજ પાંચ ભાવનાઓનું સ્મરણ કરે. બીજા મહાવ્રતનું રક્ષણ:
-સત્યવ્રતનું રક્ષણ કરનારે હાસ્ય-મશ્કરીને અવશ્ય ત્યાગ કરવું જોઈએ. કેમકે મશ્કરી કરનાર અસત્ય જ બોલે છે, વળી તેનાથી અનેક અનર્થો અવશ્ય ઉત્પન્ન થાય છે. હામાં માણસનું હૃદય દુખાય છે, માટે સ્વપરહિતાર્થે મશ્કરીને અવશ્ય ત્યાગ કરવો.
૨-લોભી પ્રાણી આ સંસાર રંગભૂમિમાં કેવા કેવા પ્રકારના વેષ ભજવે છે, પુરુષો થઈ સ્ત્રીઓના વેષ ધારણ કરે છે. ભયંકર અટવીઓમાં બ્રમણ કરે છે, ગહન સમુદ્રમાં ગમન કરે છે, ભિક્ષા માગે છે, કૃપણની સેવા બજાવે છે, પ્રમાણિકપણને જલાંજલી દે છે, વિશેષ શું કહેવું ? સર્વ ગુણનેમાક લેભ જ્યાં સુધી
For Private And Personal Use Only