________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા જ થાય છે, માટે એક પરમબ્રા જ સિદ્ધ છે. માયા તે વાસ્તવિક અસત્ છે.
ગુરુ–માયા ઈશ્વરથી ભિન્ન છે કે અભિન્ન ભિન્ન છે તો જડ છે કે ચેતન જે જડ છે તે તે નિત્ય છે કે અનિત્ય? ઈત્યાદિ અનેક પ્રશ્નો અને તેમાં ઘણાં દૂષણે આવશે. કહ્યું છે કે, “ જાન્તાક્ષેડ, મેવો વિધ્યતે | कारकाणां क्रियायाश्च, नैकं स्वस्मात् प्रजायते ॥१॥ कर्मद्वैतं फलद्वैत, लोकद्वैतं च नो भवेत् । विद्याविद्याद्वयं न स्याबंधमोक्षद्वयं तथा ॥ २ ॥ हेतोरद्वैतसिद्धिश्चत, द्वैतं स्याद्धेतुसाध्ययो ।। हेतुना चेद्विना सिद्धि द्वैतं वाङ्मावतो न किम् ? ॥३॥ अद्वैतं न विना द्वैतादहेतुरिव हेतुना, संज्ञिन: प्रतिषेधो नं, प्रतिषेध्यादृते क्वचित् ॥ ४ ॥
" (બાતમીમાંસા) ભાવાથ–-કારક તથા ક્રિયા આદિને જે પ્રત્યક્ષ :ભેદ દેખાય છે. તે એકાંત અદ્વૈતપક્ષને વિષે વિરોધને પ્રાપ્ત થાય છે, કારણ આપોઆપ એક હોય તે સર્વ પ્રકારથી સર્વરૂપે બની શક્તો નથી. ૧
કેવલ અતિ માનીએ તો શુભ અશુભ કર્મ બે, તથા તેનાં ફળ બે સારાં તથા ખોટાં, તથા આલેક અને પરલોક બે, તથા વિદ્યા અને અવિદ્યા છે, તથા બંધ અને મેક્ષ બે, આ સર્વ ન બની શકે. ૨
જે હેતુથી અદ્વૈતની સિદ્ધિ થાય છે તે હેતુ તથા સાધ્ય
For Private And Personal Use Only