________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા મોન થે. ત્યારબાદ ગ્રામટે પણ કુરંગીને ઘેર આવીને મિત્રે કહેલી બધી વાત જણાવી, એટલે કુરંગી બોલી કે હે સ્વામીનાથ! મેં તમને પ્રથમથી જ કહ્યું હતું કે મારી પત્નીના કહેવાથી લેકે મારા માથે કલંક મૂકશે. તે પ્રમાણે બન્યું કે નહીં? ત્યારે ગ્રામકૂટ કહે કે હા, તારી વાત કહેવી સાચી હતી પરંતુ આ મારો મિત્ર એવું અસત્ય કેમ બેલે? ત્યારે કુરંગી કહે કે હું કહું છું તે સાંભળો. આ તમારા મિત્ર મહાદુરાચારી છે. તે મારી પત્નીના કહેવાથી મારે ઘેર આવીને મારું શીલ ખંડન કરવાને તૈયાર થયો હતો. એ વાત મેં નહીં માનવાથી મારા માથે બેટું કલંક મૂકવા માટે આ તમને ખોટી વાત કહી છે. આ વાત આગ્રહી અને રાગાંધ એવા ગ્રામકૂટે સાચી માનીને તે બ્રાહ્મણ મિત્રને તિરસ્કાર કરીને તેની સાથે મિત્રાચારીના સંબં ધને પણ તેડી નાંખ્યા. આ રીતે કુરંગીના વશમાં પડીને દુરાગ્રહી એવા તે ગ્રામકૂટે તેના કહેવા મુજબ અનીતિવાળાં કાર્યો જેવાં કે સુશીલા એવી સુંદરી નામની એગ્ય સ્ત્રીને જુદી રાખવી, અને સત્યવાદી એવા બ્રાહ્મણ મિત્રને તિરસ્કાર કરે. આદિ કરીને આ લેકમાં અપકીર્તિ તથા પરકમાં દુર્ગતિ આદિ દુઃખને પણ અનુભવ કર્યો. ઉપરોક્ત હેતુથી કઈ પણ કાર્યમાં કદાગ્રહ નહીં કરતાં સત્યાસત્યની પરીક્ષાદ્વારા અસત્ય કાર્યને ત્યાગ કરી સત્ય વસ્તુને અંગીકાર કરે. આ સજન પુરૂ
એ પિતાનું કર્તવ્ય માની લેગ્ય કાર્યમાં પ્રવૃત્તિ કરવી એ જ ઉચિત છે.
ર૧. ગુણ ને પક્ષપાત કરે
હે સજજન પુરૂષ! કેઈપણ દિવસે કેઈના દેશે નહીં જોતાં ગુણેને અંગીકાર કરવા, કારણ કે અવગુણ સાંભળવાથી તેમજ બોલવાથી ઊલટી હાનિ કરે છે તે વિષે કહ્યું છે કે,
For Private And Personal Use Only