________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિચછેદ ૪ થે
ગુરૂ – આ કથન બુદ્ધિમાનેને એગ્ય લાગે તેવું નથી. પ્રપંચ મિથ્યા કહેવાય તે તેમિથ્યા ત્રણ પ્રકારે છે (૧) અત્યંત અસત્ (૨) બીજું અને દેખાય બીજું અન્યથા સત્ અને (૩) અનિર્વા. આ ત્રણમાંથી કયા ભેદને મિથ્યા માન?
જિજ્ઞાસુ–પહેલા બે માન્ય નથી. ત્રીજો અનિવય પક્ષ માન્ય છે.
ગુરૂ –અનિર્વાચ કોને કહેવું ? અનિર્વાચનો કહેવાવાલા કેઈ શબ્દ નથી કે શબ્દનું નિમિત્ત નથી?
જિજ્ઞાસુ –અનિર્વાચને કહેવાવાલે કોઈ શબ્દ નથી.
ગુરૂ–આ કહેવું અગ્ય છે. ગામ, નગર, પૃથ્વી, પર્વતાદિ શબ્દો પ્રત્યક્ષ પ્રસિદ્ધ છે. જિજ્ઞાસુ –શબ્દતે છે, પણ શબ્દનું નિમિત્ત નથી.
ગુરૂ–શબ્દનું નિમિત્ત જ્ઞાન નથી કે પદાર્થ નથી? પ્રથમ પક્ષ તે ઠીક નથી. પૃથ્વી, પર્વત, જળ આદિનું જ્ઞાન જીવ માત્રને પ્રતીત છે. બીજો પક્ષ કહે તે, પદાર્થ ભાવરૂપ નથી કે અભાવરૂપ નથી? જે પદાર્થ ભાવરૂપ નથી તે વિપરીતાખ્યાતિ આવી, અને વેદાંતિના મતમાં વિપરીતાખ્યાતિ માનવી મોટું દૂષણ છે. જે અભાવરૂપ પદાર્થ નથી એમ કહે તે, ભાવરૂપ માનાજ પડશે, તથા જે ભાવરૂપ માને તે અદ્વૈત સિદ્ધ નહિ થાય. જિજ્ઞાસુ–ભાવ તથા અભાવ અને પ્રકારે વસ્તુ નથી.
ગુરૂ –ભાવ તથા અભાવ આ બંનેને અર્થ લેકપ્રસિદ્ધ છે, તેજ માન્ય છે કે, વિપરીત કઈ અલૌકિક? જે લોકપ્રસિદ્ધને ભાવ માનવામાં આવે તે અભાવને નિષેધ થશે, અને અભાવ કહેવાય તે ભાવને નિષેધ થશે. આ બન્ને પરસ્પર વિરોધી છે,
For Private And Personal Use Only