Book Title: Dharmni Disha
Author(s): Kanakvijay
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 166
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir jg: ૫૮ : ધની દિશા કારણ કે અનુભવ કર્યાં બીજાએ અને સ્મરણ કર્યું ખીજાએ, એ કેમ બને? વાસ્તે તમારૂં કહેવુ... યુક્તિયુક્ત નથી. જિજ્ઞાસુ—શરીરને જ આત્મા માનવામાં આવે તે થ્રુ ષણુ આવે? ગુરૂદેવજો શરીરરૂપ આત્મા માનવામાં આવે તા આલકને જન્મની સાથે જ સ્તનપાન કરવામાં પ્રવૃત્તિ થાય છે, તે પ્રવૃત્તિ પણ નહીં થાય; કારણ કે, સ્તનપાન પ્રવૃત્તિમાં મુખ્ય કારણુ પૂર્વના અભ્યાસ બની શકતા નથી; શરીરથી ભિન્ન આત્મા માનીએ તા જ બની શકે, જિજ્ઞાસુ—જો ચાર ભૂતના સમુદાયરૂપ શરીરમાં ચૈતન્ય માનવામાં આવે તે થ્રુ હરકત ગુરૂદેવ—આની હામે એ પ્રરન ઊભાં થાય છે કે, ચાર ભૂતમાં પૃથક્ પૃથક્ ચૈતન્ય કે સમુદાયમાં ચૈતન્ય? જો જુદા જુદામાં ચૈતન્ય હાય તે એક શરીરમાં ઘણાં ચૈતન્ય થવાં જોઇએ, તેમ માનવાથી પ્રત્યક્ષ ખાધ આવે છે, અને જો સમુદાયમાં માનવામાં આવે તા, એક અંગુલીના છેદવાથી ચૈતન્ય પણ નષ્ટ થશે. અને એમજે નહિં માના તા મસ્તક એદવાથી પણ ચૈતન્ય નષ્ટ નહીં થવુ જોઈએ ? માટે શરીરથકી આત્મા જુદા જ છે. તથા જો શરીરને ચૈતન્ય માનીએ તેા શરીર વધવાથી જ્ઞાન વધવુ જોઇએ. પરંતુ એમ પણ થતુ નથી. જિજ્ઞાસુ—શરીર વધવાથી જ્ઞાન વધે છે. જેમકે બાલ્યાવસ્થામાં, જે બુદ્ધિ છે તે યુવાવસ્થામાં શરીર વધતાં વધે છે; માટે શરીર છે તે જ આત્મા છે. ગુરુદેવ—શરીર વધવાથી જ્ઞાન વધ્યું માનશે તેા સ્થૂલ શરીરવાલાને જ્ઞાન ઘણું હાવુ જોઇએ; પણ તેમ તે નથી. ઘણા સ્થૂલ શરીરવાલા મૂખ પણ સેવામાં આવે છે. તથા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169