________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન પાંચમું ઉપાયે આદિ ઘણે વિસ્તાર છે, તે ટૂંક સમયમાં કહી શકાય નહિ. સાર એટલે જ કે-ઉત્તમ સ્ત્રીના સંબંધથી આ ભવ તેમ જ પરભવ-એમ બને ભવ સુધરે છે. કહ્યું છે કે"एवं गृहस्थः सुकलत्रयोगात, जनेषु शोभा लभते सुखी च। देवातिथिप्रीणनपुण्यकर्जिनः परत्रापि गति विशुद्धां ॥१॥"
' અર્થાત–એવી રીતે સારી સ્ત્રીના વેગથી પુરુષ, લોકમાં શેભાને પામે છે અને સદા સુખી રહે છે. તેમજ દેવ, ગુરૂની ભક્તિથી તથા અતિથિ, પણ, દીન, અનાથાદિકને સત્કારથી મોટા પુન્યને ઉપાર્જન કરીને, પરલોકમાં પણ વિશુદ્ધ ઉત્તમ ગતિને પામે છે. આથી ગૃહસ્થધર્મ અંગીકાર કરનારે શુદ્ધ સ્ત્રીનેજ મેળવવા પ્રયત્ન રાખે, કે જેથી બને ભવ શુદ્ધ થાય. આ પ્રમાણે ત્રીજો ગુણ કહ્યો.
For Private And Personal Use Only