________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન પાંચમું: માનુસારીના બીજા અને ત્રીજા ગુણનું વર્ણન
नामाकृतिद्रव्यभावः, पुनतस्त्रिजगजनं । क्षेत्रे काले च सर्वस्मि-बर्हतः समुपास्महे ॥१॥ અર્થાત–નામ, આકૃતિ (મૂર્તિ), દ્રવ્ય અને ભાવ એ ચારે પ્રકારે કરીને, સર્વ ક્ષેત્રમાં તથા સર્વકાલમાં, ત્રણે જગતના છાને પવિત્ર કરવાવાળા, એવા શ્રી અરિહંત વીતરાગ ભગવાનની અમે ઉપાસના કરીએ છીએ. બીજો ગુણ શિષ્ટાચારની પ્રશંસા:
ગૃહસ્થ ધર્મ અંગીકાર કરવાની ભાવનાવાળાએ તેના અધિકારિપણાને પ્રાપ્ત કરવા માટે પ્રથમ ન્યાયથી ધન ઉપાર્જન કરવું. તેને કિંચિત માત્ર વિચાર કહ્યો તેવી રીતે બીજા ગુણો પણું સંપાદન કરવા જોઈએ. બીજે ગુણ છે શિષ્ટાચારની પ્રશંસા. સપુરુષોની સેવાથી પ્રાપ્ત કરેલી છે શિક્ષા જેણે, એવા જ્ઞાનથી વૃદ્ધ તે શિષ્ટપુરુષે કહેવાય તેવા શિષ્ટ પુરુષને ઉત્સાહ વધારો, તેમની લેકેના આગલ પ્રશંસા કરવી અને તેમનાં કાર્યોમાં પણ સહાય કરવી–એ વગેરે કરનારને શિષ્ટ પુરુષોની પ્રશંસા કરનાર કહેવાય છે. તેમ કરવાથી ગુણ પુરુષની માન્યતા થાય છે.
For Private And Personal Use Only