________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- હરિઓ ૧ છે
: ૧ - પ્ર—તમે જે દાંત કહ્યું કે, ક્ષેત્રમાં પુરૂષને આકાર કરવાથી ક્ષેત્રનું રક્ષણ થાય છે. તેમાં પક્ષી આદિ આવતાં નથી તે સત્ય છે પણ પક્ષી તે અજ્ઞાની હોવાથી તે પુરૂષ છે કે પુરૂષાકૃતિ માત્ર છે તે સમજતાં નથી પણ આપણે સજ્ઞાન અને સમજદાર છીએ તે પ્રતિમા જડ વસ્તુને માનવાની શું જરૂર છે?
ઉ–આપણને પણ જ્યાં સુધી પરમાત્માનાં સ્વરૂપનું પરિપૂર્ણ જ્ઞાન નથી થતું તથા પરમેશ્વરનું ધ્યાન, આલંબન વિના કરી શક્તા નથી ત્યાં સુધી આપણે પણ અજ્ઞાની હોવાથી પ્રતિમાની જરૂર માની છે. જ્યારે નિરાલંબન ધ્યાન થઈ શકે ત્યારપછી જરૂર નથી.
પ્ર–નિરાલંબન ધ્યાન કયાં સુધી ન થઈ શકે કે જેથી તેને પ્રતિમાની જરૂર પડે?
ઉ– જૈન દર્શનમાં ૧૪ ગુણસ્થાનકે છે. એટલે, આગળ વધવાના પગથીઆરૂપ ગુણપ્રાપ્તિનાં સ્થાનક છે. તેમાં પ્રથમ શરૂઆતના પાંચ ગુણસ્થાનકે ગૃહસ્થાને છે. બાકીનાં નવ સાધુઓનાં છે. તે નવમાં પ્રથમ પ્રમાદ નામનું છઠ્ઠ ગુણ સ્થાનક કહેવાય
જ્યારે સાતમું અપ્રમાદ નામનું પગથીયું પ્રાપ્ત થાય, ત્યારે નિરાલંબન ધ્યાન થઈ શકે, પણ તે પહેલાં નહી. આથી સિંહ થાય છે કે, ગૃહસ્થને તે સદાકાળ પ્રતિમા માનવાની જરૂર છે. સાધુઓને પણ જ્યાં સુધી પ્રમાદપણું છે ત્યાંસુધી અવશ્ય પ્રતિમા માનવાની જરુર છે. કારણ પ્રમાદ છે ત્યાં સુધી નિરાલંબના ધ્યાન થઈ શકતું નથી.
શ્રી રત્નશેખરસૂરિ મહારાજે “ગુણસ્થાનમાદ ગ્રંથમાં
" प्रमाद्यावश्यकत्यागात् , निश्चलभ्यानमाश्रयेत् । योऽसौ नैवागमं जैन, वेति मिथ्यात्वमोहितः॥॥"
For Private And Personal Use Only