________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓખાન બીજી
: : રાજા મહારાજાથી આ વ્રત કેવી રીતે પાલી શકાય?' તે ઉત્તરમાં જાણવાનું કે સાધુલોકો વીસ વિશ્વા (સેળ આની) અને ગૃહસ્થ છે તે સવા વિશ્વા (સાધુની દયા કરતાં એક આની માત્ર) દયાનું પાલન કરી શકે છે. તે સંબંધી કહ્યું છે કે, "जीवा सुहुमथूला,-संकप्पा आरंभा भवे दुविहा । सावराहनिरवराह, सविस्खा चेव निरविक्खवा ॥१॥"
અર્થાત–વો બે પ્રકારના છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ જીવેને સૂક્ષમ કહે છે. અને કીડા આદિ બેઇઢિયાદિ જેવા સ્થલ ગણાય છે. આ બન્ને પ્રકારના જીવોની રક્ષા સાધુ કે સારી રીતે કરી શકે છે. તેથી તેમની દયાને વીસ વસા (સંપૂર્ણ રૂપે) ગણેલી છે, અને ગૃહસ્થાથી માત્ર કીડાદિક જે ત્રસ જીવે છે, તેની જ દયા થઈ શકે છે, તેથી વીસમાંથી અડધી થઈ ગઈ, તે દસ વિશ્વ માત્ર રહી. આગળ આરંભ (ગૃહાદિક કર્તવ્ય) કરવાં, તેમાં યત્ન કરતાં પણ કીડા આદિ જીવને ઘાત થવાને સંભવ હોય છે, તેથી તે પણ દયા બરોબર પળી શકે નહીં, પણ સંકલ્પ માત્રથી હિંસા કરું નહી. એ નિયમ થઈ શકે છે, તેથી દસમાંથી પણ અડધી રાઈ પાંચ વિશ્વા દયા રહી. તેમાં પણ અપરાધી ની સંપૂર્ણ દયા પળી શકે નહીં, કારણ કે રાજ્યધર્માદિ ચાલી શકે નહીં તેમ સામાન્ય ગૃહસ્થોથી પણ સંપૂર્ણ રીતે પાલી શકાય નહિ. વાસ્ત ખરે નિયમ એ જ લઈ શકાય કે જે નિરપરાધી જીવે છે, તેની દયા હું અવશ્ય પાળીશ. ” તેથી પાંચ વિધામાંથી પણું અડધી ગઈ, એટલે અઢી વિશ્વા માત્ર રહી, તેમાં પણ નિરપેક્ષ થઈ અપરાધી જેને ઘાતાદિક કરું નહીં, એમ હાઈ અઢી વિશ્વામાંથી પણ અડધી દયા ઓછી થઈ એટલે સવા વિશ્વા
For Private And Personal Use Only