________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાખ્યાન ત્રીજું
૧ જે મકાનમાં સ્ત્રી રહેતી હોય અથવા સાક્ષાત્ સ્ત્રી તે દૂર રહે, પરંતુ જ્યાં સ્ત્રી યા તે દેવાંગનાની મૂર્તિ અને તેમના ચિત્રો હાય તથા જે મકાનમાં નપુંસક વેદવાલાં રહેતાં હોય, તથા જે મકાનમાં ગાય, ઘડી, ભેંસ, બકરી વગેરે રહેતાં હોય, જે મકાનમાં વિષયવિલાસી શબ્દનું શ્રવણ થતું હોય, તેવા મકાનમાં સાધુ ન રહે તથા જે આસન ઉપર સ્ત્રી બેઠી હોય તે આસને ઓછામાં ઓછું બે ઘડી સુધી ન બેસે.
૨ સ્ત્રી સાથે રાગયુત વાર્તાલાપ કરે-રાગી સ્ત્રી સાથે વાર્તાલાપ ન કરે, સ્ત્રી સંબંધી કથા જેમકે તેમના દેશ, જાતિ, કુલ, વેષ, શરીર, અંગોપાંગ, ભાષા, સ્નેહ, શૃંગાર વગેરેને લગતી કથાઓ ન કરે.
રાગ યુક્ત એવી ક્યા કરનારને અવશ્ય વિષયવિકારે ઉત્પન્ન થાય છે જેથી તેના મહાવ્રતને ભંગ થાય છે.
૩ પૂર્વાવસ્થામાં વિષયાદિ સેવન કર્યા હોય તેનું કદી પણ સ્પષ્ણ ન કરે, કેમકે તેના સમરણથી વિષયવાસના અતિ પ્રજવલિત થઈ બ્રહ્મચર્યથી ભ્રષ્ટ કરે છે; કદી તેના સ્મરણને સંભવ થાય તે મનને ધર્મધ્યાનના પ્રસંગમાં જેડી તેનાથી વિમુક્ત રહે.
૪. સ્ત્રીઓનાં અંગોપાંગ રાગયુક્ત દષ્ટિએ આખે ઉઘાડીને અભિલાષાપૂર્વક કદી જોવાં નહિ. અચાનક દષ્ટિ પડે તે દષ્ટિ ' ખેંચી લેવી, પરંતુ રાગપૂર્વક દેખવા નહિ. તથા શરીરસંક્રૂર ન કરવા, કેમકે તે પ્રાણને વિષયવાસનામાં લીન કરી વ્રતથી
કરે છે.
૫. પ્રણત-રિન-મધુરાદિ વરસયુકત જન વારંવાર ન કર તથા રુક્ષ આહાર પણ પ્રમાણુથી અધિક ન કરે. સ્નિગ્ધાદિ . આહાર વારંવાર કરનારને અવશ્ય વિષયવિકાર પ્રબલ થાય છે.
For Private And Personal Use Only