________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિચ્છેદ ૨ જે શુભ કાર્યમાં કયા હેતુથી પ્રેરણા કરે છે? માટે નિર્મલ છે ઈશ્વરે રચ્યા છે, આ પક્ષ સિદ્ધ થતો નથી.
પ્રહ–બીજો પક્ષ કેવળ પુન્યવાલા જેને ઈશ્વરે રચા એમ માનીએ તે?
ઉ–તેવા પણ સર્વ જી દેખાતા નથી. ઘણું દુઃખી પણ દેખાય છે, તથા પુન્ય ક્યાં વિના જીવોને પુન્યની પ્રાપ્તિ કયાંથી થઈ?
પ્ર–ત્રીજો પક્ષ પાપવાળા ને ઈશ્વરે રચા-આમ માનીએ તે?
ઉ–સર્વજીવે આ સંસારમાં કેવળ પાપવાળા જ દેખાતા નથી. ઘણું સુખી, રાજા, મંત્રી, ધનવંત, આદિ પણ દેખીએ છીએ. તથા પાપ કર્યા વિના પાપવાળા જ કેમ રહ્યા?
પ્ર–અર્ધપુન્ય, અને અર્ધપાપવાળાને ચોથો પક્ષ માનીએ તે?
ઉ–-સર્વ જીવે તેવા પણ નથી. કેટલાકને ઘણું સુખ અને કેટલાકને ઘણું દુઃખ દેખાય છે.
પ્ર-પાંચમે પક્ષ ઘણું પુન્ય, અને થોડા પાપવાળા, અથવા છઠ્ઠો પક્ષ ઘણું પાપ અને ચેડા પુન્યવાળા જીવોને પરમાત્માએ રચા આમ માનીએ તો?
ઉ–ઘણું પુન્ય, અને થોડું પાપ, અથવા ઘણું પાપ, અને ડું પુન્ય, એવા છે પણ સર્વ જેવામાં આવતા નથી, માટે જગતના કર્તા તરીકે કેઈ સિદ્ધ થતું નથી.
પાતરનિકમાં કહ્યું છે કે
For Private And Personal Use Only