________________
ઘોડા પરથી ઉતર્યા. અને યોગીને નમસ્કાર કર્યા. જતાં જતાં તેણે એક ખૂબ કિંમતી મણિ યોગીના ચરણમાં ધર્યો, યોગી સ્પર્ધો જ નહિ. કહ્યું કે આ બીન જરૂરી છે.
આથી રાજાએ એ મણિ ઝૂંપડીના ઉપરના ભાગમાં સંતાડીને મૂકી દીધો. યોગીને એની સાથે કંઈ નિસ્બત ન હતી. એના અંતરના આનંદમાં મણિઓ ચમકતા જ હતા. આવા મણિની જરૂર કયાં હતી? “માન અપમાન સમગણે, સમગણે તૃણ મણિ પાષાગરે.”
થોડા સમય પછી રાજાની સવારી પાછી ફરી, રાજા ને એમ કે પેલા મણિમાં અહીં કેવો સુંદર આશ્રમ થયો હશે, પણ આ શું? ઝૂંપડી અને યોગી એ જ અવસ્થામાં હતા.
રાજાએ નમન કરીને સહેજ મણિ વિષે પૂછ્યું !
યોગી કહે તમે જ્યાં મૂક્યો છે ત્યાં જુઓ. મણિ ધૂળ ખાતો ત્યાંજ પડ્યો હતો. યોગી આવા નિસ્પૃહ હોય છે. યોગીઓ જગતમાં પવિત્રતાનો પ્રકાશ પૂરે છે, અને યોગ્ય જીવો સત્યને ઝીલે છે.
છે. ૧૦. ગુરુ આજ્ઞાથી નિશ્ચિતતા છે
જૈન દર્શન કે અન્ય દર્શન હો ગુરુજનોની સમીપ વિનયી થઈને રહે તો તે સાધકને સહેજે આત્મદર્શનની યુક્તિ પ્રાપ્ત થાય છે. ગુરુજનો આત્મહિત વત્સલ હોય છે.
ગુરુએ શિષ્યોને આજ્ઞા કરી કે કાલે સવારે તમારે બે સાધુઓએ બાજુના ગામમાં સાધુ મહાત્માની સેવા માટે જવાનું છે. તે રીતે બંને સાધુઓ સવારે તૈયાર થઈ આજ્ઞા મેળવવા આવ્યા. તે પહેલા ગુરુજીએ બીજા બે શિષ્યોને વિદાય કર્યા હતા. એટલે આ સાધુઓને કહ્યું કે તમારે જવાનું નથી. આ બંને સાધુને કંઈજ વિકલ્પ થતો નથી. કેમ ફેરફાર કર્યો, અમે બે કલાકથી તૈયારી કરી હતી.
આ બંને શિષ્યો ગુરુઆધીન હતા. સહેજે પોતાની આરાધનામાં લાગી ગયા. મન શાંત છે. ગુરુદેવ પણ પોતાના ધ્યાન આરાધનામાં સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૨
૭