________________
“અહો અહો શ્રી સદ્ગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો, અહો ! ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌ હીન તે તો ગુરુએ આપીયું વતું ચરણાધીન.”
-શ્રીમદ્ રાજચંદ્ર
૦૬. સવભમાં સમદષ્ટિ
સર્વાત્મમાં સમદષ્ટિ. લોકદૃષ્ટિ તો કહે છે, પાંચ આંગળીયો સરખી નથી ત્યાં આ સંતવાણીને કયાં ધારણ કરીએ? વળી આ જગત વ્યવહાર એવો છે કે જીવને એકનિષ્ઠ રહેવું કઠણ છે.
ભાઈ, રોતા કયાં સુધી જીવશો? આત્મશક્તિ અસીમ છે. તેના ભરોસે જીવે તે જ સમદષ્ટિ રહી શકે.
વિનોબાજી આ કાળના જ માનવી હતા. સામાન્ય સંપન્ન કુટુંબમાં જન્મેલા. માતા પ્રભુપરાયણ હતા. બાળકને હંમેશા તેવા જ સંસ્કાર આપતા.
સમયોચિત વિન્યો-વિનોબાજી તરીકે પ્રગટ થયા. મહાત્મા ગાંધી બાપુની સ્વરાજની ચળવળમાં જોડાયા. એક નાનો આશ્રમ સ્થાપ્યો. અને યુવાન યુવતીઓને સાત્વિક, તાત્વિક શિક્ષણ આપતા.
ભૂમિદાનનું કાર્ય હાથ ધર્યું. જમીનદારો નારાજ થતા. વિનોબાજી ગામે ગામ ઘૂમતા. જમીન વિહોણાને જમીન અપાવતા. કોઈ જમીનદારે તેમની હત્યાનું કાવત્રુ ગોઠવ્યું. પોતાની જમીનો આપવી પડતી તેથી નારાજ હતા.
એકવાર કોઈ ગામના ખેતરોમાં પડાવ હતો. તંબુમાં રહેવાનું હતું. એક જમીનદારે આ લાગ જોઈ એક હત્યારો મોકલ્યો. તે મોટા છરા સાથે તંબુમાં દાખલ થયો. અજવાળી રાત હતી. હાથમાં ચમકતો છરો હતો. વિનોબાજીએ જોયું કે કોઈ હાથમાં છરો લઈને આવ્યો છે, એ જ સ્વસ્થતાથી બોલ્યા
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧ ૩૬