________________
બુદ્ધ કહે તું આમ કરવાથી દુઃખી થઈશ. જીવો સાથે જોડ કર તોડ શું કામ કરે છે? તું એક કામ કર આ સામેના ઝાડની ડાળી તોડી લાવ.
અંગુલિમાલ હજી આવેશમાં હતો. તાકાત હતી હથિયાર હતું. અહંકાર હતો, ઝાડ પાસે જઈ ડાળી નહિ મોટું ડાળખું તોડી લાવ્યો. બુદ્ધના પગ આગળ નાંખ્યું. - બુદ્ધ ખૂબ કરુણા-પ્રેમથી બોલ્યા હવે આ ડાળખાને ઝાડ સાથે જોડી દે.
તે હજી આવેશમાં હતો. મૂરખ, તૂટેલું ડાળખું જોડી શકાય?
બુદ્ધે કહ્યું કે તો પછી માનવ સાથેની પ્રીતિ તૂટે પછી જોડી શકાશે ? તું તોડ નહિ પણ જોડ કર.
આતો સવાણી, સંતની વાણી, કરુણાસભર વાણી જેમાં કેવળ હિતની સુવાસ હતી. નિર્ભયતાનો રણકાર હતો. તેની અસર નીપજ્યા વગર ન રહે.
અંગુલિમાલથી હથિયાર છૂટી ગયું. ગળામાંનો બિભત્સ હાર ફેંકી દીધો. બુધ્ધના ચરણમાં નમી પડયો.
પ્રભુ, મને માફ કરો, મારો સ્વીકાર કરો.
સંતોનું સત, પવિત્રતા, કરુણા વહેતો સ્ત્રોત છે. પત્થરને પીગાળે તેવું તેમાં સત્ત્વ છે. માનવતો પીગળેજ. અંગુલિમાલ ભિક્ષુક બન્યો.
તમે કહેશો આજે આવા સંત કયાં છે ? તમે શોધ્યા છે ! તમને જરૂરત લાગી છે? બે ચાર પુસ્તક વાંચી હું બધું જાણું તેવો ભ્રમ
છે.
ભાઈ! સની જિજ્ઞાસા થવી દુર્લભ છે. તેના પોષણ માટે સંતની શોધ દુર્લભ છે. સંત મળ્યા પછી તે યોગને ધારણ કરી જીવન અર્પણ કરવું અતિ દુર્લભ છે. જીવને અહંકાર રોકે છે. આ તો હું જાણું છું. એમ ભ્રમમાં સંતની સમીપે જતો નથી.
એક નવી નવી પરણેલી કન્યા સાસરે આવી. ઘરમાં વડીલ નહિ. બાજુમાં એક માજી રહે તેને પૂછે. પણ માજી કંઈ કહે ત્યારે અર્ધ સાંભળી કહે આ તો હું જાણું છું. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧ ૨૯