________________
નામનો ગુણ હતો. અપરાધી પ્રત્યે પણ પ્રેમ-મૈત્રી રાખવા. આવા અનેક ગુણોથી ભરપૂર સમક્તિ મોક્ષનું દ્વાર છે.
જ્ઞાનીઓ કહે છે. “હે સુજ્ઞો તમે પરિણભ્રમણના દુઃખથી છૂટવા માંગતા હોવ તો પ્રથમ મિથ્યાત્વને ત્યજી જ્ઞાની ગુરુજનોના બોધ વડે સમક્તિ પામો. તે માટે સંસારને ગૌણ કરી સત્સંગનું સેવન કરો. જે આત્માની શુદ્ધતા પ્રગટ કરે છે. આત્મા દ્રવ્ય શુદ્ધ, વર્તમાન અવસ્થા ગુણમાં ટકવાથી શુદ્ધ પણે વર્તે છે. દષ્ટિ દ્રવ્ય તરફ ગુણ આચરણમાં જેથી પર્યાય શુદ્ધિ ટકે.”
દ્રવ્ય ગુણ શુદ્ધ પર્યાયધ્યાને શિન દીયે સપરાણો રે.
ક
૮૬. જિન પ્રતિમાના દર્શનનો પ્રભાવ છે.
અનાર્ય પ્રદેશમાં આદ્રપુર નગરનો રાજા આન્દ્ર અને આર્યાવર્તના રાજગૃહી નગરીના રાજા શ્રેણિકને મૈત્રી હતી. એકવાર કેટલાક વ્યાપારીઓ આદ્રદેશ ભણી જતા હતા. શ્રેણિક રાજાએ રાજા આદ્રને કીમતી ભેટો મોકલી. મૈત્રી ભર્યા સંબંધને ગાઢ કરવા આદ્રરાજાએ પણ રાજા શ્રેણિકને કીમતી ભેટો મોકલી. તેની સાથે આદ્રકુમારે પણ અભયકુમાર માટે કીમતી ભેટ મોકલી.
અભયકુમાર તે ભેટ જોઈ પ્રસન્ન થયા. તેમણે વિચાર્યું કે અનાર્યદેશમાં વસતા આદ્રકુમારે જિન પ્રતિમાના દર્શન કર્યા નહિ હોય ! આથી તેમણે સુંદર પેટીમાં શ્રી રૂષભદેવની અલૌકિક પ્રતિમા આદ્રકુમારને મોકલી અને જણાવ્યું કે આ પેટી પવિત્ર જગાએ એકાંતમાં ખોલવી.
આકુમારે તે પ્રમાણે પેટી ખોલી, ભગવાનની તેજસ્વી પ્રતિમાના દર્શન થતાં કુમારને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પૂર્વે ત્રીજા ભવે મગધના વસંતપુર ગામે તે સામાયિક નામે ગૃહસ્થ હતો તેને બંધુમતી નામની પત્ની હતી. કર્માધીન તે અનાર્ય દેશમાં જન્મ્યો. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧ ૫૩