Book Title: Sattvashil Tattvamay Prasango
Author(s): Sunandaben Vohra
Publisher: Swadhyay Satsang Parivar

View full book text
Previous | Next

Page 180
________________ જાણે પોતે કંઈ જ કર્યું નથી. પાટ પરથી ઉભા થાય. એવી નિસ્પૃહતા ફંડની હેલી થાય. સાધુ સાધ્વીજનોને ભણાવવા, વિદ્યાર્થીઓ સાથે સંગોષ્ઠિ કરવી. ચૌમાસી વ્યાખાનોમાં હજારોની સંખ્યામાં શ્રોતાઓને ઉદ્બોધન કરવું. યુવાનોને સમાર્ગે વાળવા. તપોવન જેવી સંસ્કાર સિંચન માટે સંસ્થાઓ ઉભી કરવી. સુરત જેવા શહેરના પ્લેગમાં જરાય શંકા વગર સેંકડો સાધકો સાથે કાર્યરત રહેવું. દેશના વડાપ્રધાનાદિ અનેક મોભાદાર નેતાઓની સાથે સહજતાભર્યો છતાં મક્કમ નિર્ણય હોય જ. અંગત જીવનમાં આહારાદિનો સંયમ. પ્રમાર્જન ચૂકે નહિ. શિષ્યોને તે માટે છૂટ લેવા ન દે. સંયમજીવનની વિરાધના ન થાય તે માટે સદા જાગૃત. અહો ! અહો ! બધું જ અજબ બાળપણ ધાર્મિક લક્ષણયુક્ત યુવાનીમાં સંયમમાર્ગે જવા થનગનાટ. ગુરુવર્યની સેવા પ્રાણરૂપે, શાસ્ત્રાભ્યાસમાં પારંગત, તપોવન જેવા સંકુલનું નિર્માણ. જીવદયા એમનો બીજો પ્રાણ. પુછવાનું મન થાય તમે સાહેબ બહુરૂપી છો ? પુસ્તકો કયા૨ે લખો છો ! કહે અરે ! હવે નિવૃત્ત થઈ એકાંતમાં જવું છે. અને એકવાર વંદન કરવા ગઈ ત્યારે વય સાઈઠ ઉપર હશે, કંઈક બિમારી હતી. સાહેબ થોડુંક જનકલ્યાણ માટે પણ જેની પાસે કામ લો છો તેનું ધ્યાન રાખવું પડે. (શરીરનું) “હવે તો નિવૃત્ત થઈ અંતર-આત્મારાધન કરવું છે. સાહેબ ! તમે અંતરમાં રહો છો તેથી આત્મશક્તિ કામ કરે છે. આવું તો ઘણું છે તમે જ વાંચજો જરૂર વાંચજો. ૯૦. ગુરુકૃપા અનોખું રહસ્ય છે એક આશ્ચર્યજનક ઘટના બની. લેખક એક મિત્રને મળવા ગયા હતા. ત્યાં બેઠક પાસે જૂના પુસ્તકનો જથ્થો પડયો હતો. તેમાં જોતાં એક પુસ્તક હાથ આવ્યું તેના આગળના પાના ન હતા. લગભગ ચોથા સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૧૭૭

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196