Book Title: Sattvashil Tattvamay Prasango
Author(s): Sunandaben Vohra
Publisher: Swadhyay Satsang Parivar

View full book text
Previous | Next

Page 163
________________ ૪. વર્ષના તબક્કાવાર ફોટા જરા ધારીને જો જે પછી તારી પણ તેજ તબક્કાની કલ્પના કરજે, કયાં ગયું ? આંખનું તેજ ? કયાં ગઈ મુખની પ્રભા ? કયાં ગઈ દોડવાની શક્તિ ? એક વૃદ્ધ વડીલ વાંકા વળીને ચાલતા હતા એક યુવાને પૂછ્યું, કાકા, શું શોધો છો ? ભાઈ યુવાની શોધું છું, યુવાન આગળ વધ્યો, કાં વધશે ? કાકાની જગા લેશેને ? રૂપ શોધશે કે યુવાની ? યુવાની દિવાની બનાવી જવાની પાછી નથી આવવાની. ત્વચા વગરનું શરીર જોયું છે ! તારું ગજું શું ! તે ઋષભદેવાદિના શરીર સડન પડનવાળા ન હતા છતાં રાખી શકાતા નથી. આ ચાર દિવસની ચાંદની જેવું શરીર કેવી રીતે સાચવીશ ? એક સદ્ઉપયોગ છે તે આત્મકલ્યાણ. બળમદ : સિકંદરે પૃથ્વી જીત્યા પછી કહ્યું. અબજોની મિલકત આપતા એ સિકંદર ના બચ્યો, તારું બળ કેટલું ? દશમસ્તકના બળવાળા રાવણનું મૃત્યુ આગળ ના ચાલ્યું એના પ્રમાણમાં તારી પાસે શું છે ? ભાઈ, અંધારામાં દોરડી જોઈને તું ગભરાવાવાળો. કયા બળ પર ઝઝૂમે છે ? તારી પાસે એક બળ છે આત્માનું. તે અમર છે. મરતું નથી. અમર બનાવે છે. ૫. લાભમદ : જીવનમાં સુખરૂપ જીવી શકાય તેવા ધનાદિની પ્રાપ્તિમાં વિઘ્ન કરનાર અંતરાયકર્મ છે. તમને કોઈ વસ્તુની જરૂર હોય છે. તે શ્રીમંત પાસે વસ્તુ છે પણ તમને તેને આપવાની ઈચ્છા ન થાય. જો લાભાંતરાય કર્મનો ઉદય ન હોય તો દાતા પ્રસન્નતાથી આપે. આમ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય કે ન થાય તો મદથી ખેદ નહિ કરતા સમતા રાખવી. ૧૬૦ ૬. બુદ્ધિમદ : અન્ય કરતા તમે કંઈ વધુ જાણો છો તેવો મદ થાય ત્યારે તમારે શ્રુતજ્ઞાનીઓને, મહાજ્ઞાનીઓને યાદ કરવા. તો તમારો મદ શાંત થશે. જ્ઞાનીને જ્ઞાનની સમજ હોવાથી જ્ઞાનનો મદ ન થાય પણ કેવળ શાસ્ત્ર કે વિદ્વાનને જ્ઞાનની સમજ ન હોવાથી મદ થાય. ત્યારે વિચારવું કે જ્ઞાનીઓ કેવા ધીર ગંભીર સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196