________________
૪.
વર્ષના તબક્કાવાર ફોટા જરા ધારીને જો જે પછી તારી પણ તેજ તબક્કાની કલ્પના કરજે, કયાં ગયું ? આંખનું તેજ ? કયાં ગઈ મુખની પ્રભા ? કયાં ગઈ દોડવાની શક્તિ ? એક વૃદ્ધ વડીલ વાંકા વળીને ચાલતા હતા એક યુવાને પૂછ્યું, કાકા, શું શોધો છો ? ભાઈ યુવાની શોધું છું, યુવાન આગળ વધ્યો, કાં વધશે ? કાકાની જગા લેશેને ? રૂપ શોધશે કે યુવાની ? યુવાની દિવાની બનાવી જવાની પાછી નથી આવવાની.
ત્વચા વગરનું શરીર જોયું છે ! તારું ગજું શું ! તે ઋષભદેવાદિના શરીર સડન પડનવાળા ન હતા છતાં રાખી શકાતા નથી. આ ચાર દિવસની ચાંદની જેવું શરીર કેવી રીતે સાચવીશ ? એક સદ્ઉપયોગ છે તે આત્મકલ્યાણ.
બળમદ : સિકંદરે પૃથ્વી જીત્યા પછી કહ્યું. અબજોની મિલકત આપતા એ સિકંદર ના બચ્યો, તારું બળ કેટલું ? દશમસ્તકના બળવાળા રાવણનું મૃત્યુ આગળ ના ચાલ્યું એના પ્રમાણમાં તારી પાસે શું છે ? ભાઈ, અંધારામાં દોરડી જોઈને તું ગભરાવાવાળો. કયા બળ પર ઝઝૂમે છે ? તારી પાસે એક બળ છે આત્માનું. તે અમર છે. મરતું નથી. અમર બનાવે છે.
૫. લાભમદ : જીવનમાં સુખરૂપ જીવી શકાય તેવા ધનાદિની પ્રાપ્તિમાં વિઘ્ન કરનાર અંતરાયકર્મ છે. તમને કોઈ વસ્તુની જરૂર હોય છે. તે શ્રીમંત પાસે વસ્તુ છે પણ તમને તેને આપવાની ઈચ્છા ન થાય. જો લાભાંતરાય કર્મનો ઉદય ન હોય તો દાતા પ્રસન્નતાથી આપે. આમ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય કે ન થાય તો મદથી ખેદ નહિ કરતા સમતા રાખવી.
૧૬૦
૬. બુદ્ધિમદ : અન્ય કરતા તમે કંઈ વધુ જાણો છો તેવો મદ થાય ત્યારે તમારે શ્રુતજ્ઞાનીઓને, મહાજ્ઞાનીઓને યાદ કરવા. તો તમારો મદ શાંત થશે. જ્ઞાનીને જ્ઞાનની સમજ હોવાથી જ્ઞાનનો મદ ન થાય પણ કેવળ શાસ્ત્ર કે વિદ્વાનને જ્ઞાનની સમજ ન હોવાથી મદ થાય. ત્યારે વિચારવું કે જ્ઞાનીઓ કેવા ધીર ગંભીર સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો