________________
કહેવાથી પુનઃ રુક્મિણીની સાથે લગ્ન કરવા નીકળ્યો, માર્ગમાં આશ્રમ આવતા ખૂબ દુઃખી થયો. આગળ વધી ન શક્યો. તરૂણ ઋષિને જોઈને આશ્ચર્ય પામ્યો.
તરૂણઋષિ સાથે તેને ખૂબ ગમી ગયું. અને તેને પોતાની સાથે આવવા વિનંતિ કરી. તેને સાથે લઈ કનકરથ કાવેરી પહોંચી રુક્મિણી સાથે લગ્ન કર્યા. રાત્રે રુકિમણીએ હોંશમાં આવી કનકરથને જણાવ્યું કે તેણે જ યોગીની સાધી હતી. તે નગરજનોની હત્યા કરી તેની વિદ્યા વડે છૂપાઈને ઋષિદત્તાના મુખ પર માંસ ચોપડતી હતી. આ સાંભળીને કનકરથ તરત જ ચિતા સળગાવી બળી મરવા તૈયાર થયો. અને રુકિમણીને કાઢી મૂકી.
તરૂણ ઋષિએ તેને વાર્યો અને સમજાવ્યો કે ઋષિદત્તા જીવંત છે. તમને થોડા વખતમાં મળશે તે માટે તમારે મને મુક્ત કરવો પડશે. બંનેનું સાથે મળવાનું શકય નથી.
તરૂણઋષિ દૂર જઈ ઋષિદત્તારૂપે હાજર થયો. કનકરથ ખૂબ પ્રસન્ન થયો. તેણે રુક્મિણીને તો અગાઉ મહેલમાંથી કાઢી મૂકી હતી.
ઋષિદત્તાએ સઘળી હકીકત જણાવી અને એક માંગણી કરી કે તેઓ રુક્મિણીને સ્વીકારે. પ્રથમ તો કનકરથ ના માન્યો પણ ઋષિદત્તાએ કહ્યું આતો પૂર્વ કર્મના ફળ છે. તેમાં કોઈનો દોષ નથી. આ ઔદાર્ય ગુણ હતો.
અંતે કનકરથ માની ગયો. રુક્મિણી તો ઋષિદત્તામાં ચરણમાં પડી. અત્યંત રૂદન કરી પશ્ચાતાપ કરવા લાગી. અંતે સુખદ મિલન થયું. | ઋષિદત્તાએ જણાવ્યું કે તરૂણઋષિ પોતે જ હતી. અનુક્રમે કનકરથ બંને રાણીઓ સાથે પોતાના રાજ્યમાં પહોંચ્યો.
રાજ્યમાં આ ધર્મ વિજય મુનિ પધાર્યા હતા. ઋષિદત્તાએ વૈરાગ્ય પામી સંયમ ધારણ કર્યો. મુક્તિ પંથે પ્રયાણ કર્યું. કથાનું તાત્પર્ય ઉદાર મન, ઔદાર્યગુણને પ્રગટ કરે છે. ઋષિદત્તાને રુક્મિણીએ દુઃખ આપવા છતાં તેણે ઉદાર થઈને કનકરથને મનાવીને પોતાની સાથે સ્થાન આપ્યું. ૧૫૮
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો