________________
પપૈયું સમારવા બેઠા. ત્રણે ભાઈઓ માની બાજુમાં ગોઠવાઈ ગયા. પપૈયું તૈયાર થયું.
મા કહે, બેટા બાજુમાંથી તમારા મિત્રોને બોલાવો. બધા વહેંચીને ખાવ.
આટલું નાનું પપૈયું કેટલાક દિવસથી ભાઈઓ પાકે ત્યારે ખાવાની રાહ જોતા હતા. પપૈયું પાકીને તૈયાર થયું. બાજુના મિત્રોને ખવરાવીને ખાવ. વહેંચીને ખાવ.
મિત્રો આવ્યા, સૌએ પપૈયું ખાધું, (પ્રેમ-મૈત્રી ખાધા)
આજે સુધરેલા યુગે શું શીખવ્યું? કેટબરી, ચોકલેટ મોંઘી છે. એકલાં જ ખાવી પડે !
વિનોબાજીને જીવનમાં આવા ઘણા પ્રસંગોથી ઉત્તમ સંસ્કાર મળ્યા હતા. તે સંસ્કારે તેમને સંત સમું જીવન આપ્યું.
સંત વિનોબાનો સંસ્કાર સૌમાં ભગવાન છે એ ભાવનાવાળો હતો.
સમયોચિત તેમણે ભૂમિદાન-ભૂદાનનું કાર્ય ઉપાડ્યું, કામ કપરું હતું. જમીનદારો એકરો જમીનની માલિકી ધરાવતા, અઢળક ધન ભેગું કરતાં. તે જ ગામોમાં ખેડૂતો જમીન વિહોણા હતા. તેમણે જમીન વહેંચવાની હતી. આથી જમીનદારો નારાજ થયા. વિનોબાજીને પતાવી દેવાનું કાવત્રુ ગોઠવાયું. - ભૂદાનના કાર્યમાં કશા આડંબર રક્ષણ કે સુવિધાઓની અપેક્ષા વગર વિનોબાજી સેવાભાવી ટુકડી સાથે પગપાળા ફરતા.
અંગત કોઈ જરૂરિયાત ન હતી. દેહની નિભાવણી માટે વસ્ત્રાદિની ઉપયોગિતા રાખતા.
એકવાર ખેતરોમાં પડાવ નાંખ્યો છે. તંબુઓ બાંધ્યા છે. એક તંબુમાં વિનોબાજી સૂતા છે, સંયમીની નીંદ કેવી હોય ? અજવાળી રાત છે, જમીનદારની ગોઠવણ મુજબ એક માણસ ખૂલ્લા ચમકતા છરા સાથે તંબુનો દરવાજો (કપડું) ઉંચો કરી અંદર ઘૂસ્યો. વિનોબાજીએ જોયું હાથમાં ખૂલ્લા ચકમતા છરા સાથે માણસ અંદર પ્રવેશ્યો છે.
વિનોબાજી બેઠા થયા. ખૂબ પ્રસન્ન ચિત્તે બોલ્યા : “પધારો, પ્રભુ, આ વેશે પધાર્યા!” પેલા માણસના હાથમાંથી છરો જમીન પર
૩૨
સત્ત્વશીલ-તત્તમય પ્રસંગો