________________
તમારા જેવા યોગીને પણ સાથે લઈ જાઉં?
યોગી મહાત્માએ આંખ ખોલી, એ દૃષ્ટિમાં જ્ઞાનની તેજસ્વિતા હતી. તેમણે પ્રેમથી જવાબ આપ્યો. આ અમારી પવિત્ર ભૂમિ છે. તારી ભૌતિકતાયુક્ત ભૂમિમાં આવવાનું શું પ્રયોજન છે?
સિકંદર કહે, હે યોગી ! જો તમે મારા આદેશનો સ્વીકાર નહિ કરો તો આ તલવાર વડે માથું, ધડથી જુદું થઈ જશે.
આ સાંભળીને યોગી તો ખૂબ હસ્યા અને બોલ્યા.
હે રાજા ! અમે સંસાર છોડયો ત્યારે શરીર પરથી ધડને (વાસનાને) ઉતારીને જ નીકળ્યા છીએ. તારે આ ધડ ઉતારવું હોય તો ઉતાર અમને કંઈ હર્ષ શોક નથી. દેહ પર ધડ રહે કે ના રહે. અમે પ્રાપ્ત કરવા જેવું અમૃત પ્રાપ્ત કરી લીધું છે. યોગીની આ નિર્ભયતા જોઈ સિકંદર નમી પડ્યો. તેણે વિચાર્યું કે આ યોગી બેઠક જેટલી જગાની તો ઠીક પણ શરીરની પણ માલિકી ધરાવતા નથી. શરીર પરથી ધડ જુદું થાય એટલે મૃત્યુ. તેનો પણ જેને ડર નથી એ યોગી મારા કરતાં ઘણા પરાક્રમી છે. તલવાર મ્યાન કરી નમન કરીને વિદાય થયો.
ભારતના યોગીઓ પાસે આત્મબળ હતું. અને શરીરાદિ પદાર્થો પર તેમના બળનું ઐશ્ચર્ય હોતું નથી. દેહ પડે, રહે કે જાય તેઓનું જીવન આત્મબળ ધરાવતું હોય છે. જેને કોઈ છેદી ભેદી શકતું નથી. સર્વ અવસ્થામાં એ સતુ રૂપે જ હોય છે.
“અબ હમ અમર ભયે ન મરેંગે.”
૮૩. માનવ જીવનનો વૈભવ .
તમારા સંસારના વૈભવ કરતાં આની જાત ભાત જુદી છે.
પ્રશમરતિ ગ્રંથકાર જણાવે છે કે ઘણા પુણ્યબળથી મનુષ્ય જન્મ, કર્મભૂમિ, આર્યદેશ નીરોગિતા-આયુષ્ય બળ, સંપતિ, સત્ દેવગુરુ, સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૪૭