________________
છે. તે ભયંકર ચેપી હતી. કોઈ ઈલાજ કાર્યકારી ન થયો. રસી વધતી ગઈ. તેની નજીક જવામાં જોખમ હતું. ડોકટરો, નસ બધા દૂર રહેતા. ઔષધ વિગેરે ઝટપટ આપીને સૌ દૂર ખસી જતા.
સમય થતાં એલિસ આવી. દૂરથી તેને જોઈને બાળક બોલી ઊઠ્યો. મા, મા મારી પાસે આવ. આ બધા મારી પાસે નથી આવતા. તું પણ નહિ આવે ?
એલિસ ચેપની ગંભીરતાથી વાકેફ હતી. બાળક પુનઃ બોલી ઊઠયો. મા, શું તું પણ નહિ આવે? અને એલિસનું માતૃત્વ પોકારી ઊઠયું. તેણે દોડીને બાળકને ઊંચકી લીધો. નર્સોએ દૂર રહીને બૂમાબૂમ કરી મૂકી.
એલિસ તમે આ શું કર્યું? તમને ખબર છે આ ભયંકર ચેપી રોગ છે?
એલિસે કહ્યું હું મા છું. એલિસ બાળકને ખોળામાં લઈને ખૂબ વહાલ કર્યું. બાળક ખૂબ પ્રસન્ન થયો. એલિસનું માતૃત્વ સંતોષાયું. પણ પરિણામ આવવાનું હતું તે આવ્યું.
બાળક માના પ્રેમની રાહ જોતો હતો? થોડી જ મિનિટોમાં મૃત્યુ પામ્યો. એલિસના શરીરમાં ચેપ વ્યાપી ગયો. તે પણ મૃત્યુ પામી.
આ દૃષ્ટાંતથી એ સમજવું છે કે ઝેર વ્યાપક બને છે તેમ અમૃત પણ વ્યાપે છે. પૌદ્ગલિક પ્રકારે જણાતા ઝેરને આપણે સ્વીકારીએ છીએ. અમૃત અતિન્દ્રિય છે. આત્માનું મૂળ સ્વરૂપ છે. જેઓ દૈહિકભાવથી મુક્ત થયા. સાસરિક ભોગોથી મુક્ત થયા. વેરઝેરને તિલાંજલિ આપી. કોઈ દૂષણ જયારે ન રહ્યું ત્યારે તે સંતોમાં અમૃત પ્રગટે છે.
તે અમૃત તેમના દ્વારા વિશ્વવ્યાપી બને છે. જે તેના ચાહકો છે. શ્રદ્ધાવાળા છે તેઓ તે અમૃત પામીને સ્વયં મુક્તિ પામ્યા છે.
આવા અમૃતને પામવા શ્રદ્ધા જોઈએ. શંકાશીલને આનો લાભ મળતો નથી. જે તે અમૃત પામ્યા તે સમાઈ ગયા. પરંતુ તેમના સ્પંદનો વિશ્વવ્યાપી બનીને વિસ્તાર પામ્યા. તેને શ્રદ્ધાવાનો ઝીલી શકે છે અને તે અમૃત પાન કરી અમર બને છે. આપણે એ અમૃત ઝીલવાનો પ્રયત્ન કરીએ.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧ ૩૮