________________
અભ્યાસ કર્યો છે. તે બધું જ ત્રણ કલાક સુધી જણાવતો રહ્યો.
ગુરુએ બધું શ્રવણ કર્યા પછી એક વાક્ય બોલ્યા “ભાખરીના ચિત્રથી પેટ ન ભરાય.”
તું આ બધું બોલી ગયો તે તારા અંતરપટને સ્પશ્ય છે? જ્ઞાન તો પૂરેપૂરું અહંમાં પરિણમ્યું છે ત્યાં આત્મજ્ઞાનનો સુખદ સ્પર્શ કેમ થાય?
શિષ્ય સમજદાર હતો પણ અહંમનો પડદો અંતરાય હતો તે આ સંતના પવિત્ર આભામંડળથી વિખરાઈ ગયો. અહંના પડળ ઉખડતા ગયા. જ્ઞાન અહમરૂપે પરિણમ્યું હતું. તે હવે જયાંથી પ્રગટ્યું હતું. ત્યાં જ સમાતું થયું. મૂળતત્ત્વ પ્રગટ થયું.
પવિત્રતાના પુંજ સમા, જેને જગતના કોઈ પદાર્થની સ્પૃહા નથી. દેહવલયની ચારે બાજુ પવિત્ર આભામંડળ રચાયેલું છે. જગતના પદાર્થોની સ્પૃહાની મલિનતાનો સ્પર્શ નથી. તેવા સંત પાસે સાધકની સજ્જતા એ છે કે આત્મૌપજ્યને પાત્ર થવા માટે ત્યાં ખાલી થઈને બેસવાનું છે.
અનાદિના સંસ્કાર-અહંપણાનું વિસર્જન કરો અને એવા મહાત્માઓની પ્રતિભાને પાત્ર બનો.
નિર્મળ આત્મત્વ પ્રગટ થશે.
૪૪. સંતત્ત્વનું સામર્થ્ય
સંતોની ચેતના શક્તિનું પ્રાગટ્ય અદ્ભુત હોય છે. એક સંત પાસે શિષ્ય વિદ્યાગ્રહણ માટે આવ્યો. સંત તેના મુખ પરથી તેની અંતર અવસ્થા જાણી ગયા. આદેશ આપ્યો.
જો બેટા, આશ્રમથી થોડે દૂર એક નદી છે તેના પર પુલ છે. તારે ત્યાં સાધના કરવા એકાંતમાં બેસવાનું છે. તને જયારે નદી સ્થિર લાગે અને પુલ ક્ષીણ થતો લાગે ત્યારે આવજે.
શિષ્ય જ્ઞાન પિપાસુ હતો. આજ્ઞા પ્રમાણે નદી પાસે યોગ્ય વ્યવસ્થા કરી રહેવા લાગ્યો. કામ કંઈ ન હતું. નદી અને પુલને જોયા કરવાનું ૭૮
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો