Book Title: Sattvashil Tattvamay Prasango
Author(s): Sunandaben Vohra
Publisher: Swadhyay Satsang Parivar

View full book text
Previous | Next

Page 187
________________ આટલો લગાવ કેમ? તમે જોશો કે, બધું જ “પર” સામાન્ય મનુષ્યને આકર્ષતું નથી. એને એ “પર” જોડે જ સંબંધ છે, જે એના “હું'ને કયાંક સ્પર્શે છે. સંપત્તિ કરોડોની બીજાની હોય, એ સાથે સામાન્ય જનને સંબંધ નથી, એને પોતાની સંપત્તિ જોડે જ સંબંધ છે. તો, પરમાં રસ છે એનું કારણ છે અહંચેતના. મારી પ્રશંસા કરનાર સામાન્ય વ્યક્તિઓ પણ મને વિશિષ્ટ લાગશે; મારા “હું'ને એમણે પુષ્ટ કર્યું ને ! “છે? સમાજે વ્યક્તિને ઓળખ માટે નામ આપ્યું. માણસે એ નામની આસપાસ બહુ મોટું જાળું ફેલાવી દીધું. અને એને હું જોડે સમ્બદ્ધ કર્યું. હું એટલે આ!” હું સાધના કરું છું, કરી શકું છું એવો અહંકાર આવે તો પરમ ચેતના કઈ રીતે કામ કરશે? ભક્ત ગૌરાંગ : ભગવાન ! કયારેક તણખલું વાળનારને વશ નથી રહેતું. હવામાં ઉડી જયા છે. મારે તો માત્ર તારે આધીન થઈને રહેવું છે. એટલે હું તણખલા કરતાંય હીન છું. બાહ્યતપ અત્યંતર તપને પુષ્ટ કરશે. અભ્યત્તર તપની પાછળની ત્રિપદીમાં ત્રણ તત્ત્વો આવે છે : સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ. પોતાનો વાસ્તવિક પરિચય આપે તે સ્વાધ્યાય-આનન્દધનતાની દિશામાં ડગ માંડવા તે ધ્યાન અને બહિર્ભાવને સંપૂર્ણતય દૂર કરી પોતાની ભીતર ઉતરી જવું તે કાયોત્સર્ગ. આત્મજ્ઞાનને અનુભૂતિની ધરા પર જઈ જે સંવેદવું તે સમ્યગુ દર્શન. યોમાં અટવાયેલ ઉપયોગ જ્ઞાતા ભણી ફંટાય તે જ્ઞાતા ભાવ. ઉપયોગી જ્ઞયો-પદાર્થો કે વ્યક્તિઓ જણાય ત્યારેય લેપ ન હોય. ન હર્ષ, ન પીડા. માત્ર જાણવાનું અગણિત જન્મોના પ્રવાહને કારણે આવેલી નબળાઈ એ છે કે સાધક પદાર્થો કે વ્યક્તિઓને બે ભાગમાં વહેંચી દે છેઃ અનુકૂળ, પ્રતિકૂળ, અનુકૂળ મળે ત્યારે રતિભાવ, પ્રતિકૂળ પદાર્થ ૧૮૪ સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196