________________
છગનલાલ કહે મારી પાસે આવી જાવ. અરે ! તમેજ બિસ્તરો ખોળામાં લઈને બેઠા છો, ત્યાં રમણભાઈને ક્યાં બેસાડશો ? આમ પોતાનું ઠેકાણું પડયું નથી ત્યાં બીજાનું ઠેકાણું કરવા નીકળ્યા.
તેમ જીવ હજી પોતાના અસ્તિત્વની ઉર્જા પામ્યો નથી પણ શાસ્ત્ર બોધને આધારે અન્યને પમાડવાની વાતો કરી ભ્રમ પેદા કરે. તેમાં જો બેચાર ભક્તો મળી જાય પછી અસ્તિત્વની વાત બાજુ પર રહી જાય. અન્ય પ્રલોભનોમાં અટવાઈ જાય માટે જયાં સુધી તારું ઠેકાણું ન પડે ત્યાં સુધી ‘સદ્ગુરુ શરણં મમ'.
પહેલા તું સ્વયં પાત્રતા કેળવ, અંતરમાં પ્રવેશ પામ, સ્વાનુભૂતિ સુધી પહોંચ. જો કે પછી તારે કંઈ બોલવાનું રહેશે નહિ.
૩૫. પરમાત્માની પરમતા
પરમાત્માની પરમતાને ભક્ત જ જાણે અને માણે. પામર જાણે ક્યાંથી આ પરમતા ?
‘મનડું મોહ્યું રે મનમોહનજી'' કોઈ આગળ નહિ કહેવાય ! વૈધક્તા વેધક લહે બીજા બેઠા વા ખાયા.
આ પ્રભુ પ્રત્યેની પ્રીતિ છે. એ શબ્દમાં કેવી રીતે આવે ? એ સમજે પણ કોણ ? કોઈ પ્રભુ પ્રેમીને સદ્ગુરુને યોગે તે સમજાય. જ્યાં તારે તારા નામ ગુણને ગૌણ કરવું પડે.
એક ગુરુ પાસે એક સાધક આવ્યો. પરિચિત હતો છતાં પૂછ્યું તું કોણ ? પેલો કહે હું જોતાન. ગુરુ કહે : અરે દસ વર્ષે હજી તું એનો એજ છે ? તારી પાછળ તારું અસ્તિત્વ છે તે તેં સમજ્યું, જાણ્યું? અને ત્યારે તેને સત્યનો સાક્ષાત્કાર થયો.
૬૪
""
નામ સગાઈ વિગેર સમાજે આપેલા પ્રતીકો છે તે ભૂતોને કયાં સુધી વળગાડી રાખશો ? તેની પેલે પાર જુઓ. તમારું મૂળ રૂપ શું છે તે સમજાશે.
વેધકતા વેધક લહે, બીજા બેઠા વા ખાય.” પ્રભુ પ્રીત જેણે
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો