________________
વિદ્યા શીખવી હોય તો જો સામે ટેકરી પર એક ગુરુજી છે ત્યાં જા. રાજકુમાર બાણનું ભાથું અને ધનુષ્ય લઈને ત્યાં પહોંચ્યો. પોતે શું શીખ્યો છે તે જણાવ્યું.
ગુરુએ તેની વાતચીત, હાવ-ભાવ પરથી તેની પાત્રતા જાણી લીધી કે વિદ્યા શીખ્યો છે વિનય નથી શીખ્યો.
ગુરુ તેને એક ટેકરી પાસે લઈ ગયા અને કહ્યું કે આ ટેકરીની ટોચે એક પગ ગોઠવવાનો બીજો જરા નીચે રાખીને સામેના વૃક્ષ પરના ફળને તીર મારી પાછું લાવવાનું.
શિષ્ય તો ટેકરીની ટોચ જોઈને જ ગભરાઈ ગયો. એક પગ ટેકરી પર એક પગ નીચે તીરને છોડતા શરીરને ટટાર રાખવું પડે. નીચે પડું તો સો વર્ષ પૂરા થઈ જાય.
ગુરુદેવને પગે લાગ્યો. તમારી કૃપા વગર આ શકય નથી. ભાઈ, કૃપા માટે તેં શું કર્યું ? ગુરુને મિટાવી દેવાની મનોવૃત્તિમાં તારી વિદ્યાની નિપુણતા પણ હવે ટકશે નહિ. વિદ્યા વિનય વડે વિકસે છે. અહંકારથી તે નષ્ટ થાય છે.
આ વિદ્યા શીખવા માટે ચિત્તની એકાગ્રતા અને નિર્ભયતાની સાથે મુખ્ય વિનય અતિ જરૂરી છે. તારા અહંકારે આવી યોગ્યતાને નષ્ટ કરી છે અફસોસ કર્યા વગર પાછો જા. ગુરુની ક્ષમા માગ. વિનમ્ર થઈને પુનઃ શિક્ષણ શરૂ કર, તો તારી યોગ્યતા પ્રમાણે વિદ્યા મળશે.
રાજકુમાર નીચે ગુરુ પાસે આવ્યો. કંઈપણ લેવા જેવી યોગ્યતા રહી નથી. પહેલો નંબર મળવાને બદલે હવે તે છેલ્લો નંબર મળ્યો હતો.
બાણ વિદ્યા હોય, શાસ્ત્ર બોધ હોય કે કોઈ પણ કળા હોય વિનય વિના સંભવ જ નથી.
તેમાં પણ સંયમ માર્ગે નીકળેલા સાધકે તો શિશ ઉતારીને જવું પડે છે. ગુરુકૃપા શિશ અર્પણ કરતાં વિશેષ શક્તિયુક્ત છે. ગુરુની વિનમ્રભાવે સેવા વગર તે કેવળ ગોખવાથી બાણોનો ઢગલો કરવાથી મળતી નથી.
ગુરુજનો પાસે તેમની જ પવિત્રતાથી કેટલી શક્તિ વિકાસ પામે છે કે ગમે તેવા તીર સામે ફકત આંગળી જ પૂરતી થાય છે ? બાણ
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૬૬