________________
માટેનું સ્થળ પાંત્રીસ માઈલ દૂર હતું.
પ્રથમ દિવસે શ્રી મણીભાઈ લઈ ગયા. ત્યાં રાત્રી નિવાસ વીણામહેન્દ્ર ખંધારને ત્યાં ગોઠવાયો, તેમને ત્યાં સત્સંગ પ્રેમી પરિમલ શનિરવિ રજા ગાળવા આવતા તે ત્યાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હતા. અને ગ્રીનકાર્ડ પણ મળવાનું હતું.
રાત્રી નિવાસના દિવસે પરિમલનો પરિચય થયો અને શનિવારે લઈ જવાની સોમવારે સવારે મારા સ્થળે મને મૂકી દેવાની જવાબદારી લીધી. આમ શનિ થી સોમ સવાર સુધી સતત પરિચય રહ્યો.
દરેક શનિ અને સોમવારે ગાડીમાં પાંત્રીસ માઈલ શું કરવું? મને થયું કે નવતત્ત્વના પાઠ વાંચુ અને પરિમલ સાંભળે. પચીસ વર્ષનો યુવાન અભ્યાસથી પરિચિત, તત્ત્વપ્રેમી એટલે એને શ્રવણ કરેલા પાઠ કંઠસ્થ થવા લાગ્યા. ધીમે ધીમે તે તત્ત્વની અસર ઘેરી થવા લાગી, પુસ્તકના પાઠ લગભગ પૂરા થયા.
તેણે પૂછયું કે હજી આવા તત્ત્વના ગ્રંથો તો કેટલા હશે? તેનો અભ્યાસ ભારત ભૂમિમાં સારો થાય.
થોડા દિવસ ગયા એણે એક ચમત્કાર સજર્યો. મને કહે મેં ગ્રીન કાર્ડ લેવાનું માંડી વાળ્યું છે. અને હું ભારત આવી ત્યાં સ્થિર થઈ આ તત્ત્વનો વધુ અભ્યાસ કરીશ. માતાપિતાને મનાવી લઈશ.
તેણે અમેરિકા રહેવાની અને ત્યાં ના સ્વવિકાસની બધી વાત ત્યજી ભારતની વાટ પકડી. ભારત આવી દિગંબર મહામુનિ વિદ્યાસાગરજીના પરિચયથી પ્રભાવિત થઈ આ જીવન બ્રહચર્યનું વ્રત લીધું. મુંબઈનું કામકાજ ઘરબાર સમેટી અમદાવાદ સ્થાયી થયા જેથી ઈડર જેવા તીર્થમાં આરાધના કરી શકાય. આજે તેઓ વૃદ્ધ માતાપિતાની સેવા સાથે દઢતાથી પોતાની સાધના કરે છે. નવતત્ત્વના અભ્યાસથી તેમનામાં રહેલા જન્માંતરીય સંસ્કાર જાગ્યા અને પ્રભુના પંથે વળી આત્મ કલ્યાણ કર્યું. પૂ. શ્રી એ નવતત્ત્વમાં આવા બીજ મૂક્યા છે. જે વટવૃક્ષની જેમ વિકસે છે.
૯૪
સત્ત્વશીલ-તત્વમય પ્રસંગો