________________
ઊંચક્યો, પણ ટોપલાએ પોતાને યોગ્ય કાર્ય કર્યું. પાણી નીકળી ગયું. ભલેને ! પણ ગુરુ આજ્ઞા છે એટલે પાણી ભરાવું જોઈએ. પૂરા ત્રણ કલાક, તમે કહેશો બિચારાની મહેનત નકામી જાય છે.
ના, આ મહેનતમાં આજ્ઞાના અહોભાવની લય છે, એટલે તેનું જ્ઞાનાવરણ ખપતું જાય છે, જ્ઞાન વૃદ્ધિ પામતું જાય છે. જ્ઞાન આત્મામાં અપ્રગટ હતું તે ગુરુકૃપાથી પ્રગટ થયું. એ કૃપામાં જાબાલની શ્રદ્ધાનું પ્રદાન હતું.
ત્રણ કલાકે ગુરુ શિષ્યો સાથે તળાવે આવ્યા. જાબાલ દોડયો, ગુરુજીના પગ પકડીને રડયો, આપની આજ્ઞાને પાત્ર નથી.
ગુરુએ માથે હાથ મૂકયો, ઉઠ જાબાલ તારી શ્રદ્ધા કસોટીએ ચઢી અને પ્રગટ થઈ છે.
સૌ આશ્રમમાં આવ્યા. ગુરુજીએ તેને વૃક્ષની નીચે બેઠક પર બેસાડયો, તાડપત્રી અને કલમકિત્તો આપ્યા. અને માથે હાથ મૂકી આદેશ આપ્યો કે આ તાડપત્રી પર લખ અને સૌના આશ્ચર્ય વચ્ચે તેણે ઉપનિષદની વાતો લખી.
ગુરુદેવે તેની નામકરણ વિધિ કરી. તેનું નામ સત્યકામ જાહેર કર્યું. શિકારી સત્યકામ બન્યો, આત્મશ્રેય સાધી ગયો, કામની પ્રામાણિકતા ! ગુરુદેવ પ્રત્યેનો અહોભાવ ! તેમના શબ્દોમાં શ્રદ્ધા : “ટોપલામાં પાણી ભરાશે”, બુદ્ધિમાન એટલું કરે ટોપલો લઈ ન જાય. ઘડો લઈ જઈ, તરત પાણી લઈ આવે, ભાઈ ! આ ત્રણ કલાક નિરર્થક ગયા નથી. જાબાલનું જ્ઞાનાવરણ ખપી ગયું અને ઉપનિષદ લખ્યા. છેવટે આત્મશ્રેય પામી ગયો. ગુરુ પરની શ્રદ્ધા જ્ઞાનરૂપે પરિણમે છે.
આ ૨૮. વસુમતિ ચંદનબાળા થઈ વંદનબાળા બની
:
E
સતીઓમાં શ્રેષ્ઠતા પામેલી ચંદનબાળાનું સતીત્વ શું હતું? આપણાથી તે થઈ શકે તેવું સરળ. પણ કયારે બને ? પ્રભુ પ્રત્યેની અચળ શ્રદ્ધા દ્વારા ભાગ્યના દોષનો સ્વીકાર અને દોષને પણ મૂળમાંથી સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૫૩