________________
કરી, મદનરેખાનો દાસીઓ દ્વારા સંપર્ક કરવાના ઘણા પ્રયત્નો કર્યા. પણ મદનરેખા શીલવાન હતી. તેથી તે ફાવ્યો નહિ.
એકવાર યુગબાહુ રાજ્યના ઉદ્યાનમાં આરામ કરવા ગયો, આ વાતની મણિરથને ખબર પડી. તેણે ઉદ્યાનમાં આવીને માણસોને સમજાવ્યા કે તેને યુગબાહુનું કામ છે. અને ઉપવનમાં પ્રવેશ્યો, યુગબાહુને બૂમ મારી, મોટાભાઈને એકાએક આવેલા જાણીને યુગબાહુ કદલી ગૃહમાંથી બહાર આવ્યો અને નમસ્કાર કરવા નીચે નમ્યો એટલે મણિરથે તેને તલવારનો કર્યો, મદનરેખાએ બૂમાબૂમ કરી. સૌ સુભટો ભેગા થઈને મણિરથને પકડયો તેને મારવા તૈયાર થયા, પણ યુગબાહુએ તેમને વાર્યા. માનવ મરતા સુધી સુસંસ્કાર છોડતો નથી. શુભભાવને છોડતો નથી. મદનરેખા એ તે વખતે નમસ્કાર મંત્ર સંભળાવ્યો. યુગબાહુ મૃત્યુ પામીને દેવલોકમાં જમ્યો.
મણિરથ ત્યાંથી ભાગ્યો તેને તેનું કુકર્મ નડયું. તેને સર્પ ડશ્યો ને તે મૃત્યુ પામી નરકવાસી થયો. મદનરેખાને આ ખબર નથી તેથી તે ત્યાંથી જંગલ તરફ ભાગી અને કદલી ગૃહમાં રહેવા લાગી. તે કાળે જંગલમાં હાલની જેમ પણ કુદરતી રિસોર્ટ હતા. મદનરેખાએ ત્યાં એક બાળકને જન્મ આપ્યો, તેના આંગળીએ યુગબાહુના નામની વીંટી પોતાના આંગળીએથી કાઢી પહેરાવી કપડાંમાં વીંટાળી બાળકને વૃક્ષ નીચે સુવાડી નજીકના સરોવરમાં સ્નાન કરવા ગઈ. ત્યાં સરોવરમાં રહેલા જળ હસ્તીએ ગુસ્સે થઈ આકાશમાં ઉછાળી, તે વખતે નંદીશ્વર દ્વિીપની યાત્રાએ જતાં એક વિદ્યારે તેને ઉપાડી લીધી. વળી નવી આફત આવી વિદ્યાધર મદનરેખાનું રૂપ જોઈ મોહિત થયો.
મદનરેખાએ વિદ્યાધરને પુત્ર જન્મની વાત કરી તેને લેવા વિનંતિ કરી. વિદ્યાધરે કહ્યું તું મને સ્વામી તરીકે સ્વીકાર વળી તેણે વિદ્યા વડે જાણ્યું કે પદ્મરથ રાજાએ તેના પુત્રને લઈ જઈ પોતાની પત્ની-પુષ્પામાળાને સોંપ્યો છે. એટલે ફિકર ના કરીશ. અને મારી પત્ની થા.
મદનરેખા કહે પહેલા મને નંદીશ્વર દ્વીપના દર્શન કરાવો. ત્યાં સ્થિર થયેલા મુનિના દર્શન કરાવો એટલે મણિપ્રભવિદ્યાધરે તે પ્રમાણે કર્યું. તેઓ નંદીશ્વર દ્વીપ પહોંચ્યાં દર્શન કર્યા. પછી મુનિ પાસે પહોંચ્યા.
મણિચૂડ મુનિશ્વરે જાણ્યું પુત્રની દાનત ખરાબ છે તેમણે ઉપદેશ સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧ ૧૭