________________
જુગ જુગ ઝંખુ છું તમને.. ફૂલ ચીમળાઈ જશે, મુરઝાઈ જશે, કો'કના પગ તળે એ રોંદાઈ પણ જશે, પુષ્પ આ બધું સહન કરી લેશે; એ નહિ સહી શકે સુગંધ વિનાના પોતાના અસ્તિત્વને.
આપે જ એનો જવાબ આપેલો કે સ્વાધ્યાયનો અર્થ સ્વનું અનુભાવન, સ્વનું સ્પર્શન છે. ને એ સંદર્ભમાં ચોવીસ કલાકનો સ્વાધ્યાય શકય છે. ક્રિયા કરતાં, ભાવ વિભોર બની લોગસ્સ.” જેવાં સૂત્રને ઉચ્ચારતાં જિનગુણને સ્પર્શીને નિજગુણ સ્પર્શવાનું બને.
પ્રભુના નિર્મલ સ્વરૂપની કે પ્રભુના ગુણોની અનુભૂતિ તે જ સમ્યગુજ્ઞાન...અને એ જ અનુભૂતિ ઊંડાણથી સ્પર્શે તે સમ્મચારિત્ર...
ત્યાગ, વૈરાગ્ય અને સંયમ મને આપીને પ્રભુએ મારી ભીતર નિઃસ્પૃહ ભાવ જગાવ્યો. એ નિઃસ્પૃહતાને કારણે સર્વસંગનો ત્યાગ થઈ ગયો.
પ્રભુ! તમે મને કેવું મઝાનું સૂત્ર આપ્યું! સર્વનો અસંગ બરોબર પરમ સંગ...અને એ પરમસંગની પળો આનંદ જ આનંદ. પ્રભુ ! પરમસંગની એ પળો મારા નિર્મળ ચૈતન્યની નજીક સરતી પળો થઈ
ગઈ.
૧૮૮
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો