________________
ભગવાન છે, પછી ચિંતા શી?
ગમે તે ઋતુ હો એ ગુફા ગરમ થાય કે ઠંડી થાય વર્ષા થાય કે વાદળા થાય. તે તો પોતાની મસ્તીમાં સાધના કરતા રહે છે. તેમનું તન, મન એ રીતે ઘડાઈ ગયું છે.
“વિપશ્યનાનો મૂળ હેતુ જ આ દેહની અનિત્યતાને અનુભવી. દેહનો નેહ ત્યજી આત્મ સ્પર્શના કરવાનો છે. કહેતા કે અનિત્યતા દઢ થાય છે. અનુભવાય છે.
છૂટે દેહાધ્યાસ તો નહિ કતાં તું કર્મ,
નહિ ભોક્તા તું તેહનો, એ ધર્મનો મર્મ. ઈડરમાં રહેતા જયોતિબા સાથે તેમનો સંપર્ક ઘેરો હતો. તેમની સાથે મને તેમનો લાભ મળતો. વળી કોઈવાર નિવાસે આવતા પણ ખરા.
એકવાર હું બિમારીમાં હતી ત્યારે મને મળવા આવ્યા મેં કહ્યું હું દેહ નથી. શુદ્ધ આત્મા છું. બોલું છું પણ ટકાતું નથી. દર્દમાં મન એકાકાર થાય છે.
તેઓ પૂછે ઉપયોગ દર્દમાં જાય ત્યારે ગમે છે? ના ગમે નહિ. તો પછી જયાં ન ગમે ત્યાં ઉપયોગ નહિ લઈ જવાનો.
ભાઈ ! દેહભાવ એવો છૂટયો નથી.
તમે વારંવાર દેહ અનિત્ય છે તેવી નિરંતર ભાવના ભાવો, ઊંડે સુધી ત્યાં પહોંચો, પછી જુઓ કોણ જણાય છે? જે જણાશે તે તમારું સ્વરૂપ છે. વધુ નથી લખતી આ તેમની ઈચ્છા વિરૂદ્ધ રજા વગર લખ્યું છે ક્ષમા કરે. ભાવના કરું છું.
યોગેશભાઈ અધિક શતાયુ ભવ:
પ૧. ગુરુકૃપા અનોખું રહસ્ય છે
એક આશ્ચર્યજનક ધટના બની, લેખક એક મિત્રને મળવા ગયા હતા. ત્યાં બેઠક પાસે જૂના પુસ્તકનો જથ્થો પડ્યો હતો. તેમાં જોતાં એક પુસ્તક હાથ આવ્યું તેના આગળના પાના ન હતા. લગભગ ચોથા સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૯૧