________________
આશ્ચર્ય છે કે છતાં જીવ તેમાં કાયમી સુખ જુએ છે. એ સગવડો છે સુખ નથી.
મોટા ભાગના જીવોને તો ખબર જ નથી કે આ સાધનોના ઉપયોગમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ જેવા સૂક્ષ્મ જીવોની કેટલી હિંસા છે? તે જીવો છે તે વૈજ્ઞાનિક યુગે ભૂલાવી દીધું હોય તો પણ કર્મ ભૂલ થાય ખાતું નથી. તે જીવાણુઓનું સંગઠન થાય છે. દુઃખની આહ તેમાં ભળે છે અને મોટા ધરતી કંપો, વાયરસ અનેક પ્રકારના પ્રચંડ તોફાનો વડે એ જીવો તેમની સ્વાભાવિક સંજ્ઞા વડે જીવના શરીરમાં રોગરૂપે પેદા થાય છે. કર્મનો હિસાબ ચૂકવાય છે. તેનાથી કોઈ છૂટવાનું
નથી..
ઝેર સુધા સમજે નહિ જીવ ખાય ફળ થાય તેમ શુભાશુભ કર્મનું ભોક્તાપણું જણાય.
- શ્રીમદ્ રાજચંદ્ર વિશ્વ વાત્સલ્યરૂપ ધર્મ એ જિન પ્રણિત આજ્ઞારૂપ છે. સુખેથી જીવવું હોય તો અન્યને સુખોથી જીવવા દો. આવી વિશ્વવ્યાપક આજ્ઞાના વિરાધક દુઃખ પામે છે. દુઃખ બજારમાંથી નથી આવતું. તેવા પ્રકારના પરમાણુ તે રૂપે પરિણમી જીવના સંબંધમાં આવે છે. અને અનુકૂળ કે પ્રતિકૂળરૂપે પરિણમે છે. જેનદર્શન તેને કાર્મણવર્ગણા કહે છે. જેના શુભ-અશુભ બે પ્રકાર છે. શુભ સુખનું કારણ છે. અશુભ દુઃખનું કારણ છે.
3 પ૩. કર્મની વિચિત્રતાનું એક રૂપકો
અમેરિકામાં એક શ્રીમંતને ત્યાં ઉતરવાનું થયું હતું. ઘરની સજાવટની ચારે બાજુ શ્રીમંતાઈ છલકાતી હતી. થોડીવાર પછી એક રૂપાળો હૃષ્ટપુષ્ટ બાળક દોડતો આવ્યો. પણ આ શું? તેની પાછળ એક વ્હીલચેરમાં બાળકને બેસાડીને આયા લાવી. તે બાળક આંખે બરાબર જોઈ શકતો ન હતો. કાને શ્રવણશક્તિ ન હતી. પગે પાંગળો હતો. પોતાની જાતે
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૯૬