________________
Sાલ છે,
તે પ્રગટ થાય છે. તેના પ્રાગટય માટે તપની, પવિત્રતાની આવશ્યકતા હોય છે.
તન, મન, ધન જ્યારે પ્રભુને સમર્પિત થાય છે. ત્યારે પ્રભુની પવિત્રતાની અસર થાય છે, પરિસ્થિતિ પલટાઈ જાય છે. અશુભ શુભમાં પરિણમે છે. પ્રભુની પરમ પવિત્ર ચેતના સાથે સાધકની ભાવશુદ્ધિના તાર જોડાવા જોઈએ. પછી કાર્ય સહજ નિષ્પન્ન થાય છે. સતી ચંદનબાળાને બારણે પ્રભુ આવી ઉભા છે પારણે,
એનું જીવતર ધન્ય ધન્ય થાય. એના દુઃખના દહાડા વીત્યા રે એણે દરશન દેવના દીઠારે,
એનું જીવતર ધન્ય ધન્ય થાય. ચંદનબાળા મક્તિ પામ્યા.
- ૨૯. ઉદાસીનતા છે.
સંતવાણીની સરવાણી રેલાતી હતી. સંત જીવનની ઉચ્ચતાના રહસ્યો સમજાવતા કે આત્મા અને દેહ ગુણધર્મોથી જુદા છે. દૈહિક નિમિત્તથી થતા સુખ દુઃખને આત્મા જાણે છે પણ તે સુખ-દુઃખ, માનઅપમાન જેવા નિમિત્તોથી મુક્ત છે, પરંતુ દેહભાવ આ જ્ઞાનને ટકવા દેતું નથી, માટે જીવે જાણવું જરૂરી છે કે આત્મા અને દેહ સ્વભાવથી ભિન્ન છે.
આત્મા ચેતનાગુણ, જ્ઞાનગુણવાળો છે, દેહ સ્પર્શ રસ ગંધ આદિ લક્ષણવાળો છે. દેહના લક્ષણને આત્મા જ્ઞાનમય હોવાથી જાણે છે. પરંતુ દેહભાવનો સંસ્કાર અજ્ઞાનવડે એમ સમજે છે દેહના સુખદુ:ખાદિ આત્માના છે, આમ દેહ અને આત્મા એકરૂપે અજ્ઞાનવશ જણાય છે.
ગુરુદેવ શિષ્યોને કહ્યું થોડા દિવસ પહેલા એક શબ જંગલમાં દાટયું છે. ત્યાં જઈ તે જગા ખોલી ફૂલ ચઢાવી આવો, શિષ્યો તે પ્રમાણે કર્યું.
બીજે દિવસે ગુરુદેવ કહ્યું છે, આજે ત્યાં જઈ તે શબ ઉપર સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૫૭