________________
આત્મશક્તિના બળ વગર કેવી રીતે શમે ? અને એ યુવાને ભીષ્મ સંકલ્પ કર્યો કે આ તોફાન ૧૫/૨૦ મિનિટમાં શાંત થઈ જાય તો મારે આ જીવન બ્રહ્મચર્ય પાળવું અને ઘીનો ત્યાગ કરવો. આત્મબળની ભાવના સાકાર થઈ. વીસ મિનિટમાં વાવાઝોડું સલામ ભરીને શાંત થઈ ગયું.
આ સ્વયં લીધેલી પ્રતિજ્ઞાઓ પ્રાતઃકાળે તેમણે પૂજ્યને જણાવી તેમની પાસે રજીસ્ટર્ડ કરાવી લીધી. પૂજ્ય પ્રસન્ન થયા પણ આશ્ચર્ય પામ્યા.
આવી ભીષ્મ પ્રતિજ્ઞાના સહારે તમારું આત્મબળ ગજબનું વિકાસ પામ્યું. બાંગલાદેશ અને પાકિસ્તાનના યુદ્ધમાં નીડરતાથી મિત્રો સાથે પહોંચી ગયા. વરસતી બોમ્બની આગમાં સેવાપરાયણ રહ્યા. યુદ્ધ વિરામ પછી સેવા કાર્ય કરનારને સન્માન મળે તે સ્વાભાવિક છે પણ તે ન લેવું તેમના માટે સ્વાભાવિક છે અને હતું.
સેવા કાર્ય અને આત્મસાધના સુંદર રીતે થઈ શકે તે માટે તમે મુંબઈ શહેરને છોડી ધોળકા ગામે સ્થાયી થયા. શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનની છાયામાં તમારું કાર્ય આગળ વધ્યું. પછી તો જિનમંદિરોનું નિર્માણ, જિર્ણોધ્ધાર, ઉપાશ્રય રચના એ તમારો જીવનમંત્ર થઈ ગયો.
આ ઉપરાંત સંયમીઓની વૈયાવચ્ચ, વિહારધામોની અવિરત સેવાઓ થતી રહી. છતાં તમે ગુખ રહ્યા. પશુધન બચાવવું એ તો તમારું પ્રદાન કેવી રીતે વર્ણવવું?
આશ્ચર્ય એ છે કે આવા કાર્યો માટે ફંડફાળાની જાહેરાત કરવી ન પડે, પણ એ પ્રવાહને રોકવો પડે, કાર્ય નિષ્પન્ન થયું. હિસાબ ચૂકતે, ટ્રસ્ટી તરીકે પણ આકિંચન્ય રહ્યા. છતાં વસ્તુપાળના પગલે પગલે લક્ષ્મી પાંગરતી તેમ તમારી નિસ્પૃહ સેવાને લક્ષ્મીજીએ વધાવી હતી. તમારું કાર્ય બોલતું રહેતું. તમારી નિસ્પૃહકાર્ય પરાયણના જ લક્ષ્મી દેવીએ વધાવી હતી.
મોરબીનો મચ્છુ ડેમ તૂટયો, મોરબી ડૂળ્યું. માનવોની આફતની સીમા નથી અને તમે તમારા સૈન્ય સાથે પહોંચી ગયા. ગાંઠને ખર્ચે ખીચડી ખાઈ લેવાની અને અવિરત પ્રેમમય સેવા ધરી દેવાની. હસતે
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૮૭