________________
૭. શ્રદ્ધાઃ આ બધું પુણ્યયોગે મળ્યું પણ જો વીતરાગ દેવ, ગુરુ,
શાસ્ત્ર શ્રવણનો યોગ ન મળ્યો તો જન્મ ન ફળ્યો.
હે જીવ, માન કે કોઈ મહા પુણ્યોદયે આ બધું મળ્યું. આ વાંચીને આંગળીને વેઢે કારણોને ગોઠવીને વિચારજે. પુણ્યયોગે તારી ગણતરી સફળતા સૂચવતી હોય તો પણ એ વીજના ઝબકારાની જેમ પાછી વિલીન ન થાય તે માટે પૂર્ણતા પામતા સુધી પ્રમાદ ન કર.
પૂ. ગૌતમસ્વામી જાગૃત, મેધાવી, છતાં પ્રભુ તેમના હિત માટે વારંવાર કહેતા “સમય ગોયમમા પમાયે.” કોઈ માણસ વાહન ચલાવીને જઈ રહ્યો છે. ગંતવ્ય સ્થાન પાંચ સાત કિ.મિ. બાકી છે અને એક સખત ઝોકું આવી ગયું. ગાડી ખાડામાં પડી. ચાલકના સો વરસ ક્ષણમાત્રમાં પૂરા થયા.
તેમ જયાં સુધી જીવ પૂર્ણતા ન પામે ત્યાં સુધી તેણે ચૈતન્યની શક્તિને પ્રકાશિત રાખવાની છે.
સંયમ સુધીના સોપાન સર કરવાના છે. તને દેવ ગુરુનો સાથ છે શાને મૂંઝાય છે?
પૂ. યશોવિજ્યસૂરી કહે છે “પ્રભુ! તમે આ તમારો વેશ આપી મને તારી દીધો. કયાં હું એક અબૂધ બાળક ! મને ઊંચક્યો, ભક્તિ આપી, મોક્ષમાર્ગની સીડી આપી તમારો ઉપકાર શું માનું !”
બસ તારી ભક્તિ કરી કરીને મારા મનડાને વાળું.
છે૮૪. આત્માના છ સ્થાનક
પૂ. ઉ. યશોવિજ્યજીએ સમક્તિની સડસઠ બોલની સજઝાયમાં આ છ પદનું નિરૂપણ કર્યું છે, જે સમ્યકત્વના શિરમોર જેવું છે. તત્ત્વોની શ્રદ્ધા જેમ સમ્યગુદર્શનનું કારણ છે. તેમ આ છ પદનો બોધ સમ્યકત્વને ટકાવનારો છે. સાધનરૂપ છે. છ પદ (૧) આત્મા છે. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૪૯