________________
જામેલી ધારા વિચાર માત્રથી બદલાતી નથી. મહા પરિશ્રમ કરવો પડે છે. મનની પ્રસન્નતા જરૂરી છે જેમાં નિર્દોષતા છે.
સમગ્ર જીવનની પ્રક્રિયા બદલવી પડે છે. વર્ષો ગાળવા પડે છે. આટલી ક્ષમતા ન હોય તો સાધક સામાન્ય અનુષ્ઠાનોથી સંતોષ માને છે. તેમાં થોડી શુભ ભાવનાઓને ધર્મ માની નિર્જરારૂપ ધ્યાનની પ્રક્રિયા છોડી દે છે, અને પેલી વ્યક્તિની જેમ કહે છે. ધ્યાન થઈ જશે, એટલે ધ્યાનમાં રહેવાનો પ્રયત્ન કરશું. વાસ્તવમાં ધ્યાન ગુરુગમે કરવાનું છે.
ભક્તિયોગાચાર્ય શ્રી યશોવિજ્યજી ધ્યાન અંતરયાત્રામાં જણાવે
અત્યંત નિર્મલ ધ્યાનયોગ દ્વાદશાંગીના સારરૂપ છે. સર્વે મૂલગુણોઉત્તરગુણો સર્વ સાધુ તથા શ્રાવકોનો બાહ્ય ક્રિયાકલાપ ધ્યાનયોગ માટે કહેવાયો છે.
ઉપમિતિદ્ધા પ્ર. ૮ મુક્તિ માટે ધ્યાનયોગ છે. તેના માટે મનની પ્રસન્નતા જરૂરી છે. અહિંસા આદિથી વિશુદ્ધ એવા અનુષ્ઠાન વડે તે મનની પ્રસન્નતા સિદ્ધ કરી શકાય છે.
જ.
૬૫. એ આ કાળના સાધક હતા .
ભૂતકાળના સાધકોની વિશિષ્ટ સાધના સાંભળીએ ત્યારે કોઈવાર તે કાલ્પનિક લાગે !! તો હવે આ કાળના સાધકની વાત કરીએ. પૂ. શ્રી પન્યાસજી પાસે શ્રી હિંમતભાઈ બેડાવાળાએ સાધના કરેલી અને લીધી પણ હતી.
છ માસ સુધી સીવેલું કપડું પહેર્યા વગર આયંબિલ કરીને નવકારમંત્રની સાધના અને કાર્યોત્સર્ગની સાધના કરેલી. નિવાસે તે સાધના કરતા શરીરમાં અસુખ જણાય તો કાયોત્સર્ગ કરતા. ખરેખર જાણે દેહ-કાયાના ભાવથી મુક્ત થતાં.
પવિત્ર તીર્થ પાલીતાણામાં હિંમતભાઈ સાધનાથે રહેલા. એમને સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧ ૧૩