________________
છતાં તેને તો ઓળખતો નથી.
કોઈ સંતના યોગે સત્ને જાણ તેમાં સુખી થઈશ.
જૂઠી ઝાકળની પિછોડી મન મારા શીદને જાણીને ઓઢી સોડરે તાણીને મનવા સુવા જાશો ત્યાં તો, શ્વાસની સાથે જાશે ઊડી.'' એક રાજાને ઊંઘમાં એક છાયા દેખાઈ, તેણે કહ્યું કે હું મૃત્યુની છાયા છું. ચોવીસ કલાક પછી તને લઈ જવાની છું. પ્રથમ તો રાજા ગભરાયો. પણ ક્ષત્રિય હતો તેથી બેઠો થયો. ઘોડારમાંથી તેજીલો ઘોડો લીધો સવાર થઈને જંગલ તરફ ગયો.
ખૂબ ઘેરા જંગલમાં પહોંચ્યો. સૂર્યનું કિરણ જયાં દેખાતું ન હતું. ત્યાં પેલી છાયા કેવી રીતે આવશે ? તે ઘોડા પરથી ઉતર્યો, હાશ કરીને બેઠો. ત્યાં બરાબર ચોવીસ કલાક પૂરા થયા. પેલી છાયાએ ઉપાડી લીધો.
ભાઈ તને ચોવીસ કલાક મળ્યા હતા મૃત્યુને નિવારી શકાતું નથી પરંતુ, સુધારી શકાય છે.
જ્ઞાની કહે છે તું મરતો નથી. દેહ સાથે સંબંધ તેના સમયે પૂરો થાય છે. તને તો ખબર પણ મળ્યા. એ સાત દિવસ કે ચોવીસ કલાક પછી મૃત્યુ ઠેલી શકાતું નથી, પણ સુધારી શકાય છે. જેના કારણે અમર એવા આત્માનું અમરત્વ સાધીલે તો આત્માને તો મૃત્યુ છે જ નહિ, દેહનો સંબંધ છૂટે છે, તારે દેહ જોઈશે તો બીજો મળશે. ત્યારે પણ મૃત્યુ તો આવશે માટે અમર બનાવવાની મૂર્ખાઈ છોડ અને જે અમર છે તેને પ્રગટ કર.
૭૨. અધ્યાત્મનું મૂલ્ય
અધ્યાત્મના તત્ત્વો વિસ્તરતા રહે છે તેને વિજ્ઞાનની યંત્ર-વિદ્યા રોકી શકતી નથી.
આધ્યાત્મિક જીવન એટલે અંતર જગતની ખોજ, પવિત્રતા. આવા આધ્યાત્મિક-તત્ત્વની-જીવનની શ્રદ્ધા થવી દુર્લભ છે. કારણકે આપણી
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૨૬